ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યુ હતુ. જેમાં ભારતે દુશ્મન દેશની સ્થિતિ ખરાબ કરી હતી. અને આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કર્યા હતા. હવે આ 'ઓપરેશન સિંદૂર'માં જે અધિકારીઓ અને જવાનો સામેલ હતા. તેઓને BCCI સન્માનિત કરશે. IPL સમાપન સમારોહનું નામ 'ઓપરેશન સિંદૂર' રાખવામાં આવ્યું છે. જેના માટે સેનાના ત્રણેય પ્રમુખોનું સન્માન કરવામાં આવશે.


IPLની ફાઇનલ મેચમાં આ સન્માન

BCCI IPLની ક્લોઝીંગ સેરેમનીમાં 'ઓપરેશન સિંદૂર'ને સફળ બનાવનાર ભારતીય સેનાના પ્રમુખોનું સન્માન કરશે. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આ અંગે માહિતી આપી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3 જૂને રમાનાર IPLની ફાઇનલ મેચમાં આ સન્માન અપાશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2025નો સમાપન સમારોહ નજીક આવી રહ્યો છો. આ સમારોહ દેશભક્તિના રંગમાં રંગાશે. કારણે ભારતીય સેનાના પ્રમુખોને ખાસ સન્માન આપવામાં આવશે. વીર જવાનોને સન્માનિત કરવા માટે ઉચ્ચાઅધિકારીઓ અને રાજનેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે.

'ઓપરેશન સિંદૂર'ની સફળતા

'ઓપરેશન સિંદૂર' દરમિયાન આપણા સૈનિકોએ બતાવેલી બહાદુરી આપણા માટે ગર્વનો વિષય છે. ક્રિકેટ દેશની લોકપ્રિય રમત છે. તેથી આઇપીએલ સમારોહનું સમાપન એ દેશભક્તિની ઉજવણી કરવા માટે યોગ્ય રહેશે. તેથી ખાસ કરીને આ દિવસે જ ભારતીય સેનાના ત્રણેય પ્રમુખો અને વીર જવાનોને સન્માન અને સલામી આપવામાં આવશે. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 નાગરિકોના મોત થયા હતા. ભારતીય પ્રવાસીઓ પર આતંકી હુમલો કરીને દેશની શાંતિ ખરાબ કરવાનો પાકિસ્તાને કારસો રચ્યો હતો. જેના જવાબમાં ભારતે દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપ્યો હતો. જેનું નામ હતુ 'ઓપરેશન સિંદૂર'. 'ઓપરેશન સિંદૂર' હેઠળ 100થી વધુ આતંકીઓ ઠાર મરાયા હતા.

  • Follow us on: