"ઓપરેશન સિંદૂર"ને લઇને ભારતીય સેનાએ પ્રેસ બ્રીફિંગ યોજી હતી. જેમાં તેઓએ રામચરિતમાનસની ચૌપાઇનો ઉલ્લેખ કર્યો હતો. આ ચૌપાઇ પ્રભુશ્રી રામ સાથે જોડાયેલી છે. અને એવા સમયે આ ચૌપાઇનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. ત્યારે આ ચૌપાઇનો શું છે અર્થ, અને ભારતીય સેના આ ચૌપાઇ દ્વારા શું સમજાવવા માગે છે. આવો જાણીએ.


ભય વિના પ્રેમ નથી

"ઓપરેશન સિંદૂર"ની વર્તમાન સ્થિતિ મામલે ભારતીય સેનાએ માહિતી આપી હતી. આ પ્રેસ બ્રીફિંગમાં પાકિસ્તાનની હાલની સ્થિતિ અને ભારતના હવાઇ હુમલા અંગે માહિતી અપાઇ હતી. ત્યારે ભારતીય સેનાના એયર માર્શલ એ.કે.ભારતીએ રામચરિતમાનસની ચૌપાઇનો ઉલ્લેખ કર્યો હતો. તુલસી દાસ દ્વારા રચિત રામચરિતમાનસની ચૌપાઇએ માત્ર વાક્ય ન હતુ. પરંતુ એ પાડોશી દેશને આપવામાં આવેલી ચેતવણી હતી.

આ ચૌપાઇનો શું છે અર્થ ?

ભય બિન હોઇ ન પ્રીતિનો અર્થ થાય છે કે, ભય વિના પ્રેમ અથવા સન્માન થતું નથી. આ તુલસી દાસની એક પ્રસિદ્ધ ચૌપાઇ છે. જે રામાયણમાં પણ મળે છે. અહીં ભયનો અર્થ ડર નહીં પરંતુ એ સન્માન અને અનુશાસન છે જે બીજા પ્રત્યે હોવો જોઇએ. આ દોહા અથવા બે પંક્તિ, ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસમાં જોવા મળે છે.

પ્રભુ શ્રીરામે કેમ કહ્યુ હતુ કે "ભય વિના પ્રેમ નથી" ?

રામાયણમાં જ્યારે પ્રભુ શ્રીરામ લંકા જવા માટે સમુદ્ર પાસે માર્ગ માંગે છે ત્યારે સમુદ્ર પાસે આગ્રહ કરે છે કે, શ્રીરામને ત્રણ દિવસ વિતી ગયા છતાં સમુદ્રે તેમની વાત નથી માની. ત્યારે ભગવાન શ્રીરામ સમજી ગયા કે હવે પોતાની શક્તિઓ દ્વારા સમુદ્રમાં ભય ઉત્પન્ન કરવાની જરુર છે. ત્યારે આ ઘટનાને શ્રી રામચરિતમાનસમાં તુલસી દાસે સમુદ્રનો ઉલ્લેખ કરતા લખ્યુ છે કે, વિનય સમુદ્રમૂળનું પાલન કરતો નથી, ત્રણ દિવસ પસાર થયા. ત્યારે રામે ગુસ્સામાં કહ્યું, ભય વિના પ્રેમ નથી.

સમુદ્ર પર કોઈ અસર ન થઈ તે જોઈને ભગવાન રામ સમુદ્રના પાત્રને જોઈને સમજી ગયા કે હવે આગ્રહ નહીં ચાલે, પણ ભય કામ કરશે. પછી શ્રી રામે પોતાનું વિશાળ અગ્નિ તીર છોડ્યું, જેનાથી સમુદ્રની અંદર આગ લાગી હતી. આગ જોઈને સમુદ્ર ભગવાન શ્રી રામને રક્ષણ માટે વિનંતી કરવા લાગ્યો. આવી સ્થિતિમાં, ભગવાન શ્રી રામે શસ્ત્રો ઉપાડ્યા અને સમુદ્રને યોગ્ય પાઠ શીખવ્યો. આમ, રામાયણના આ ચતુર્થાંશમાંથી આપણે શીખીએ છીએ કે જો આગ્રહથી કામ ન થાય, તો ભયથી કામ થાય છે. 

  • Follow us on: