ભારતીય રેલ્વેએ નવી દિલ્હીથી વૈષ્ણોદેવી સુધી ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આગામી 50 દિવસ માટે રદ કરવામાં આવી છે.આ પાછળનું કારણ જમ્મુ તાવી યાર્ડના યાર્ડ રિમોડેલિંગ હોવાનું કહેવાય છે. આ ટ્રેન 16 જાન્યુઆરીથી 6 માર્ચ 2025 સુધી દોડશે નહીં.


આગામી 50 દિવસ માટે ટ્રેનો રદ

નવા વર્ષમાં માતા વૈષ્ણો દેવીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. શ્રધ્ધાળુઓ રોડ, રેલ અને હવાઈ મથક દ્વારા કટરા દર્શન માટે પહોંચી રહ્યા છે. માતા વૈષ્ણો દેવીના દર્શને જતા પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. વાત કરીએ ભારતીય રેલ્વેએ દિલ્હી અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આગામી 50 દિવસ માટે રદ કરી દેવામાં આવી છે વંદે ભારત સેવાઓની બે ટ્રેનોમાંથી, ફક્ત એક જોડી(ટ્રેન) (22439/40) રદ કરવામાં આવી છે. ઉત્તર રેલવેના જણાવ્યા અનુસાર, જમ્મુ તાવી યાર્ડના યાર્ડ રિમોડેલિંગના કારણે ટ્રેન રદ કરવામાં આવી છે.

મુસાફરો માટે એક મુખ્ય સ્ત્રોત છે.

વંદે ભારત ટ્રેન આજથી એટલે કે ગુરુવાર 16 જાન્યુઆરીથી 6 માર્ચ 2025 સુધી નવી દિલ્હી અને કટરા વચ્ચે દોડશે નહીં. કેમકે બંને શહેરો વચ્ચે દોડતી આ સેમી-હાઈ સ્પીડ ટ્રેન ઉત્તર રેલ્વે દ્વારા સંચાલિત અને જાળવણી કરવામાં આવે છે. આ ટ્રેન વૈષ્ણોદેવી જતા મુસાફરો માટે એક મુખ્ય સ્ત્રોત છે.

આ વંદે ભારત ક્યારે ચાલે છે?

આ સેમી-હાઈ સ્પીડ ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયાના બધા દિવસો ચાલે છે. આ ટ્રેન નવી દિલ્હીથી સવારે 6 વાગ્યે ઉપડે છે અને બપોરે 2.05 વાગ્યે કટરા પહોંચે છે. પરત ફરતી વખતે, ટ્રેન કટરાથી બપોરે 2.55 વાગ્યે ઉપડે છે અને રાત્રે 11 વાગ્યે રાષ્ટ્રીય રાજધાની પહોંચે છે.

ટ્રેન ચાર સ્ટેશનો પર ઉભી રહે છે.

મુસાફરી દરમિયાન ટ્રેન ચાર સ્ટેશનો પર ઉભી રહે છે. જેમકે અંબાલા કેન્ટોનમેન્ટ, લુધિયાણા જંકશન, પઠાણકોટ કેન્ટોનમેન્ટ અને જમ્મુ તાવીનો સમાવેશ થાય છે. વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરોને એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કારનો વિકલ્પ મળે છે.નવી દિલ્હી અને કટરા વચ્ચે એસી ચેર કારમાં મુસાફરી કરવા માટે, મુસાફરે 1665 રૂપિયા ભાડૂ ચૂકવવુ પડશે, જ્યારે એક્ઝિક્યુટિવ ચેર કારની ટિકિટ ૩૦૫૫ રૂપિયા છે. આ ટ્રેનનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું

  • Follow us on: