• રેલવે ટિકિટ ઓનલાઇન કરાવવી બુક કે ઓફલાઇન
  • કઇ રીતે ટિકિટ બુક કરાવો તો થાય છે ફાયદો
  • ટિકિટ બુકિંગ કરાવી પણ હવે કેન્સલ કરાવવી હોય તો શું કરવું ?

આપણા દેશમાં ટ્રાન્સપોર્ટેશન માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. તેમાંથી સૌથી વધારે જો કોઇ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા હોય તો તે ટ્રેન છે. માત્ર ભારતમાં જ એવા 2.5 કરોડ યાત્રી છે જેઓ જનરલ ટિકિટ લેવાનું પસંદ કરે છે. જ્યારે અન્ય લોકો એવા છે જેઓ ઓનલાઇન અને ઓફલાઇન બુકિંગ રિઝર્વ કરવાનું યોગ્ય માને છે. ત્યારે આવો જાણીએ ટિકિટ બુક કરવા માટે ઓનલાઇન અને
ઓફલાઇન માંથી કઇ શ્રેષ્ઠ રીત છે.

ઓફલાઇન કેવી રીતે બુક કરાવવી
આપણે ઓફલાઇન ટિકિટ બુક કરીએ તો તેના માટે પહેલા તો રેલવે સ્ટેશન જવુ પડે છે. ત્યાં જઇને રેલ્વે ટિકિટ કાઉન્ટર પર રિઝર્વેશન ફોર્મ ભરવાનું રહે છે. આ ઉપરાંત મુસાફરીની તમામ જરૂરી વિગતો ભરવાની હોય છે. બુકિંગ કાઉન્ટર પર ફોર્મ સબમિટ કરીને પેમેન્ટ કરવાનું હોય છે. આ રીતે ઓફલાઇન ટિકિટ બુક થઇ જાય છે. જો કે આ પ્રક્રિયા સમય માગી લે તેવી છે. કારણ કે સ્ટેશન પર પહોંચવુ પડે અને ત્યાં ટિકિટ વિન્ડો પર લાઇન પણ હોઇ શકે.

ઘરે બેઠા ટિકિટ બુક કરો
હાલ બધી જ વસ્તુ અને તમામ સુવિધાઓ આઁગળીના ટેરવે બની ગઇ છે. ટિકિટ બુકિંગ માટે ઓનલાઇન પણ સરળ રસ્તો છે. આ સેવાનો લાભ લેવા માટે IRCTCની સત્તાવાર વેબસાઇટ www.irctc.co.in પર જવાનું હોય છે. આ ઉપરાંત રેલ કનેક્ટ એપ્લિકેશન પણ ઉપયોગી છે. ઓનલાઈન બુકિંગનો લાભ લેવા માટે આઈઆરસીટીસીમાં નોંધણી કરાવવી અનિવાર્ય છે. જેથી બીજી વખત જ્યારે તમે લોગઇન કોર તો તમારે ફરીવાર એકની એક ડિટેઇલ ભરવી પડતી નથી. તમે સીધા જ ટિકિટ બુકિંગની પ્રોસેસ કરી શકો છે.

ટિકિટ કેન્સલ કરાવવી હોય તો ?
આ તો બુકિંગની વાત થઇ પરંતુ હવે તમને ટિકિટ કેન્સલ કરવી હોય તો શું કરવાનું. જો ટિકિટ ઓનલાઈન ખરીદવામાં આવી હોય તો રદ કરવાની પ્રક્રિયા સરળ છે અને રિફંડ તમારા ઑનલાઇન એકાઉન્ટમાં પાછું જમા કરી દેવામાં આવે છે. પરંતુ જો તમે ઓફલાઇન લીધેલી ટિકિટ કેન્સલ કરવા માગો છો તો તમારે પાછુ એક ફોર્મ ભરવાનું રહે છે. તેમાં બેંકની ડિટેઇલ્સ આપવાની રહે છે અને પછી રિફંડ મળે છે.

  • Follow us on: