માનવ ઇતિહાસનો સૌથી શક્તિશાળી ઉપગ્રહ NISAR આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહ ભારતીય સ્પેસ એજન્સી ISRO અને અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યો છે. આ ઉપગ્રહ જ આખી દુનિયામાં થતી કોઈપણ પ્રકારની આપત્તિની માહિતી આપી શકે છે.


અવકાશમાં તૈનાત કરવામાં આવનાર આ જાસૂસ ભૂકંપ, ભૂસ્ખલન, જંગલમાં આગ, વરસાદ, ચક્રવાતી તોફાનો, વાવાઝોડા, વીજળીના કડાકા, જ્વાળામુખી વિસ્ફોટ, ટેકટોનિક પ્લેટોની હિલચાલ... દરેક બાબત પર નજર રાખશે. આ કુદરતી ઘટનાઓ થાય તે પહેલાં તે તમને ચેતવણી આપશે.

NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર (NISAR) લોન્ચ કર્યા બાદ તે આવનારા ધરતીકંપ વિશે સમગ્ર વિશ્વને પ્રથમ માહિતી આપશે. NISAR સેન્ટીમીટર સ્તર સુધી ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને રેકોર્ડ કરવામાં સક્ષમ હશે. વધુ કે ઓછા હિલચાલથી ખબર પડશે કે ભૂકંપ ક્યાં અને ક્યારે આવી શકે છે. તેને પૃથ્વીનું એક ચક્કર ફરતા 12 દિવસ લાગશે.

અવકાશમાં નિસાર સેટેલાઇટ કેવો દેખાશે?

નિસાર સેટેલાઇટમાં એક મોટી મુખ્ય બસ હશે, જેમાં ઘણા સાધનો હશે. ટ્રાન્સપોન્ડર, ટેલિસ્કોપ અને રડાર સિસ્ટમ હશે. તેમાંથી એક આર્મ નીકળશે, જેની ઉપર એક સિલિન્ડર હશે. જ્યારે આ સિલિન્ડર લોન્ચ થયાના થોડા કલાકો બાદ ખુલશે ત્યારે તેમાંથી ડિશ એન્ટેના જેવી મોટી છત્રી નીકળશે. આ છત્રી પોતે જ સિન્થેટિક એપરચર રડાર છે.

પૃથ્વીનો નવો રિપોર્ટ દર 12 દિવસે ઉપલબ્ધ થશે

NISAR એપ્લિકેશન હેડ કેથલીન જોન્સે જણાવ્યું હતું કે NISAR 12 દિવસમાં બીજુ ચક્કર લગાવશે. આટલા દિવસોના ગાળામાં પૃથ્વીની સપાટી પર થનારા ફેરફારો જાણી શકાશે. કયા દેશમાં કેવા પ્રકારનું હવામાન પ્રવર્તે છે અથવા કેવા પ્રકારની કુદરતી આફત આવવાની શક્યતા છે તે વિશે પણ જાણી શકાશે.

તેને ક્યાંથી લોન્ચ કરવામાં આવશે?

આ ઉપગ્રહને GSLV-MK2 રોકેટથી લોન્ચ કરાશે.. આ પ્રક્ષેપણ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી થશે. સેટેલાઇટ અને પેલોડ્સનું ઘણી વખત પરીક્ષણ કરવામાં આવ્યું છે.

NISAR શું કરશે?

આ સેટેલાઇટ વિશ્વને કુદરતી આફતોથી બચાવશે. આ દુનિયાનો સૌથી મોંઘો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. તેને બનાવવામાં 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

 કોઈ પણ શહેર પડી ભાંગવાની જ નહી પરંતુ ટોર્નેડો, તોફાન, જ્વાળામુખી, ધરતીકંપ, ગ્લેશિયર્સનું પીગળવું, દરિયાઈ તોફાન, જંગલી આગ, દરિયાની સપાટીમાં વધારો સહિતની ઘણી આફતોને લઇને એલર્ટ આપશે.

NISAR અવકાશમાં પૃથ્વીની આસપાસ જમા થતો કચરો અને અવકાશમાંથી પૃથ્વી તરફ આવતા જોખમો વિશે પણ માહિતી આપતું રહેશે.

તે કેવી રીતે કામ કરશે?

NISAR પાસે બે પ્રકારના બેન્ડ L અને S હશે. આ બંને પૃથ્વી પર વૃક્ષો અને છોડની વધતી અને ઘટતી સંખ્યા પર નજર રાખશે અને પ્રકાશની અછત અને વધુ પડતી અસરોનો પણ અભ્યાસ કરશે. એસ બેન્ડ ટ્રાન્સમીટર ભારત દ્વારા બનાવવામાં આવ્યું છે અને એલ બેન્ડ ટ્રાન્સપોન્ડર નાસા દ્વારા બનાવવામાં આવ્યું છે.


12 દિવસમાં પૃથ્વીનું એક પરિભ્રમણ

નિસારનું રડાર 240 કિમી સુધીના વિસ્તારની સ્પષ્ટ તસવીરો લઈ શકશે. તે 12 દિવસ પછી ફરીથી પૃથ્વી પરની જગ્યાનો ફોટો લેશે. કારણ કે પૃથ્વીની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવામાં 12 દિવસ લાગશે. આ મિશનનું આયુષ્ય 5 વર્ષ માનવામાં આવે છે. જો કે તે વધી પણ શકે છે. 

  • Follow us on: