• જગન્નાથપુરીમાં ચંદન યાત્રા દરમિયાન લાગી આગ
  • બુધવારે રાત્રે ફટાકડા ફોડવા દરમિયાન થયો સ્પાર્ક
  • ફટાકડાના ઢગલા પર તણખો પડતા મચી અફરાતફરી

ઓડિશાના જગન્નાથપુરીમાં બુધવારે રાત્રે ચંદન યાત્રા દરમિયાન બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ફટાકડાનો ઢગલામાં બ્લાસ્ટ થયો જેમાં 15 લોકો ખરાબ રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા છે જેમાંથી 4 લોકોની હાલત ગંભીર હોવાનું જણાયુ છે.

શું કહે છે પોલીસે ?
ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સમયે નરેન્દ્ર પુષ્કરિણી સરોવરના કિનારે સેંકડો લોકો ચંદન યાત્રા ઉત્સવ જોવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન ભક્તોનું ટોળું ફટાકડા ફોડી રહ્યું હતું. પછી ફટાકડાના ઢગલા પર એક સ્પાર્ક પડ્યો, જેના કારણે વિસ્ફોટ થયો. આ ઘટનાને કારણે અફરાતફરી મચી હતી. જેમાં અનેક લોકો તો પોતાનો જીવ બચાવવા જળાશયમાં કૂદી પડ્યા જ્યારે કેટલાક લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું છે.

શું કહ્યું નવીન પટનાયકે ?
ઓડિશાના સીએમ નવીન પટનાયકે આ ઘટનાની નોંધ લીધી હતી. તેમણે મુખ્ય વહીવટી સચિવ અને જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા અને વ્યવસ્થા પર દેખરેખ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સારવારનો ખર્ચ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ઉઠાવવામાં આવશે.

દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત-ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ ઘટનાને લઇને દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વિટ કરતા જણાવ્યું કે જેમની સારવાર ચાલી રહી છે તેઓ જલદી સ્વસ્થ થઈને ઘરે પાછા ફરે.

  • Follow us on: