• ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાષ્ટ્રવિરોધી નિવેદનો મામલે ચિંતા કરી વ્યક્ત
  • એક કાર્યક્રમમાં તેઓએ નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર
  • બાંગ્લાદેશની સ્થિતિ મુદ્દે વિપક્ષો દ્વારા કરવામાં આવતા નિવેદનો પર કર્યા પ્રહાર

બાંગ્લાદેશની સ્થિતિને લઇને એક ચિંતાની બાબત છે. બાંગ્લાદેશમાં અનેક હિંદુઓ રહે છે. હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. સ્થિતિ એટલી તંગ બની કે પીએમ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દેવુ પડ્યુ. બાંગ્લાદેશની આવી સ્થિતિને લઇને વિપક્ષ દ્વારા વિવાદિત નવિદેનો કરવામાં આવી રહ્યા છે. જેને લઇને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ચિંતા વ્યક્ત કરી
હતી.

રાષ્ટ્રવિરોધી નિવેદનોને લઇને ચિંતા કરી વ્યક્તિ
જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટના પ્લેટિનમ જ્યુબિલી ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે સાવધાન રહો! કેટલાક લોકો એવી વાર્તા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે આપણા પડોશી દેશમાં થયું છે તે ભારતમાં પણ થશે, આ અત્યંત ચિંતાજનક છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ દેશનો એક નાગરિક કે જે સંસદનો સભ્ય રહી ચૂક્યો છે અને બીજા કે જેમણે વિદેશ સેવામાં ઘણો સમય વિતાવ્યો છે. કેટલાક લોકો ભારત અને તેના પાડોશી દેશો વચ્ચે સમાનતા લાવવા માટે ઉતાવળ કરે છે. તેમણે તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમ કહીને નામ લીધી વિના સલમાન ખુર્શીદ અને મણિશંકર ઐયર સામે નિશાન તાક્યું હતું.

રાષ્ટ્ર પ્રાથમિકતા- જગદીપ ધનખડ
ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય હિતના મહત્વ પર પણ ભાર મૂક્યો અને કહ્યું કે તેને માપી શકાય નહીં. આ સર્વોચ્ચ પ્રાથમિકતા છે, એકમાત્ર પ્રાથમિકતા છે અને અમે અન્ય કંઈ કરતાં રાષ્ટ્રને પ્રાથમિકતા આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સાથે જ ઇમરજન્સી લાગુ કરવા મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી. તેમણે જૂન 1975માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સીને આઝાદી પછીની સૌથી ક્રૂર અને અંધકાર સમય ગણાવ્યો હતો.

શું કહ્યું હતુ સલમાન ખુર્શીદે ?
જગદીપ ધનખડની ટિપ્પણીને કોંગ્રેસના નેતાઓ સલમાન ખુર્શીદ અને મણિશંકર ઐયરની પ્રતિક્રિયા તરીકે જોવામાં આવી રહી છે. તેઓએ ભારત અને બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિઓની તુલના કરી હતી. સલમાન ખુર્શીદે કહ્યું હતું કે ભારતમાં સામાન્ય સ્થિતિ હોવા છતાં બાંગ્લાદેશ જેવી ઘટનાઓ અહીં પણ બની શકે છે. પૂર્વ રાજદ્વારી અને કેન્દ્રીય મંત્રી ઐય્યરે પણ આવી જ રીતે ભારતની તુલના બાંગ્લાદેશ સાથે કરી હતી.

  • Follow us on: