- જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓ રાજ્ય સરકાર એક્શનમાં
- આતંકવાદી ફંડિંગના આરોપમાં 6 કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ
- ડ્રગ્સના વેચાણ દ્વારા આતંકવાદીઓને ફંડિંગ અપાતું હોવાની ચર્ચા
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓ વધી રહ્યા છે. જેને પગલે જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદી ઇકોસિસ્ટમને સંપૂર્ણપણે ખતમ કરવા માટે, સરકારે સફાઇ અભિયાન શરૂ કર્યું છે, જેના કારણે અત્યાર સુધીમાં પોલીસકર્મીઓ સહિત 6 સરકારી અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, જે તમામ ડ્રગ્સના વેચાણ દ્વારા આતંકવાદીઓને નાણાં પૂરા પાડવામાં સામેલ છે સંડોવાયેલા જણાયા હતા.
જમ્મુ અને કાશ્મીર સરકારના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ભારતીય બંધારણની કલમ 311 (2) (C) હેઠળ આ તમામ સરકારી અધિકારીઓને બરતરફ કરી દીધા છે. આ તમામ અધિકારીઓની કડક તપાસ કરવામાં આવી હતી, જે બાદ સ્પષ્ટ થયું હતું કે આ તમામ પાકિસ્તાની ISI દ્વારા ચલાવવામાં આવતા નાર્કો-ટેરર નેટવર્ક અને ત્યાંથી ચાલતા આતંકવાદી સંગઠનનો હિસ્સો છે. તપાસમાં તે તમામ અધિકારીઓ વિરુદ્ધ ગુનાહિત પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે, આ પુરાવા દર્શાવે છે કે પાકિસ્તાન ISI અને આતંકવાદી સંગઠનો દ્વારા ચલાવવામાં આવતા નાર્કો-ટેરર સામે લડવામાં સરકારને મદદ કરવાને બદલે આ અધિકારીઓએ તેમની સાથે મળીને દેશ વિરુદ્ધનો રસ્તો પસંદ કર્યો છે.













