જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસરનમાં મંગળવારે એક મોટો આતંકવાદી હુમલો થયો. આ હુમલામાં 26 લોકોના મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ જાણીજોઇને પ્રવાસીઓને નિશાન બનાવ્યા. આ હુમલાને કારણે સમગ્ર દેશમાં ભયંકર ગુસ્સો છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસને અધવચ્ચે જ છોડીને સ્વદેશ પરત ફર્યા છે.

આતંકવાદીઓ સામે મોટું ઓપરેશન શરૂ કરવામાં આવશે

આજે આતંકવાદીઓ સામે એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવશે. દિલ્હી અને જમ્મુથી NIA ટીમો રવાના થઈ રહી છે. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચશે. સેના, CRPF, SOG, જમ્મુ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. પહેલગામમાં સુરક્ષા દળોનું ઓપરેશન પૂર્ણ થયા પછી, NIA ટીમ સ્થળ પર પહોંચશે. પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને પહેલગામ હોસ્પિટલથી શ્રીનગર મોકલવામાં આવ્યા છે.

'આતંકવાદીઓ નકલી ગણવેશમાં હતા...', પહેલગામ હુમલાના એક પ્રત્યક્ષદર્શીએ ભયાનક દ્રશ્ય વર્ણવ્યું

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા દરમિયાન, આતંકવાદીઓએ નકલી ગણવેશ પહેર્યો હતો, તેથી શરૂઆતમાં કોઈ પ્રવાસીને તેમના પર શંકા નહોતી. પરંતુ થોડા સમય પછી, જ્યારે તેઓએ હિન્દુ પ્રવાસીઓની ઓળખ પૂછી અને તેમના પર ગોળીબાર શરૂ કર્યો, ત્યારે સ્થળ પર નાસભાગ મચી ગઈ. આતંકવાદીઓએ જાણી જોઈને એવા હિન્દુ પુરુષોને નિશાન બનાવ્યા જેઓ તેમની પત્નીઓ અથવા પરિવારો સાથે આવ્યા હતા. આ આતંકવાદી હુમલાના ફોટા અને વીડિયો ખૂબ જ ભયાનક છે.

આતંકવાદીઓ સ્થાનિક પોલીસના ગણવેશમાં હતા

મહારાષ્ટ્રના પુણેથી પહેલગામ ફરવા આવેલા અસાવરીએ કહ્યું, 'આતંકવાદીઓ સ્થાનિક પોલીસના ગણવેશમાં હતા અને માસ્ક પણ પહેરેલા હતા.' હુમલાખોરોએ ફક્ત પુરુષોને નિશાન બનાવ્યા હતા અને ખાસ કરીને હિન્દુઓને કલમાનો પાઠ કરવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેઓ કલમા પઢી શકતા ન હતા તેમને ગોળી મારી દેવામાં આવી."

  • Follow us on: