જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના એક ગામમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં એક-બે નહીં પરંતુ 65 ઘર આગની લપેટમાં આવી ગયા છે, જેના કારણે 70થી વધુ પરિવારો પોતાના ઘર ગુમાવી ચૂક્યા છે. તેમની નજર સામે પોતાનું ઘર બળી ગયું અને તેઓ બેઘર બની ગયા.


જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના મારવાહ વર્દવાન ગામમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ આગ સૌથી પહેલા એક ઘરમાં શરૂ થઈ અને ઝડપથી ફેલાઈ જેના કારણે લગભગ 65 ઘર આ આગની લપેટમાં આવી ગયા અને બળીને રાખ થઈ ગયા. આ મકાનોમાં રહેતા 70 થી 80 જેટલા પરિવારો ઘરો બળી જવાના કારણે બેઘર બન્યા છે. આગ પાછળના કારણો હજુ સુધી જાણી શકાયા નથી.

આગ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે સ્થાનિક અધિકારીઓ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર અને ઈમરજન્સી સર્વિસના અધિકારીએ જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો પર નજર રાખવા અને અગ્નિશામકોને મદદ કરવા માટે ડઝનથી વધુ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે. કિશ્તવાડના એક ઉચ્ચ જિલ્લા અધિકારીએ જણાવ્યું કે આગના કારણે ઘણા પરિવારો બેઘર થઈ ગયા છે, અને અસરગ્રસ્ત લોકો માટે મદદ શરૂ કરવામાં આવી રહી છે.

મહેબૂબા મુફ્તીએ શું કહ્યું?

તેમણે પીડિત પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. જો કે રાહતની વાત એ છે કે આ આગની અસર માત્ર ઘરને જ થઈ છે. કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ જાનમાલને નુકસાન થયું હોવાની માહિતી ચોક્કસપણે સામે આવી છે. આ ઘટના પર પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીનું નિવેદન પણ સામે આવ્યું છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા તેમણે સરકારને પીડિત પરિવારોને મદદ કરવા અપીલ કરી હતી.

પીડિત પરિવારને અપીલ

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “કિશ્તવાડના મારવાહ વર્ડવાન ગામમાં લાગેલી આગમાં 70 રહેણાંક મકાનો બળીને રાખ થઈ ગયા. હું આશા રાખું છું કે સરકાર આ પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડશે.

  • Follow us on: