- જિતિન પ્રસાદ પાંડેને દિલ્હીથી યુપી લાવ્યા હતા
- 18 જુલાઈએ અનિલ કુમાર પાંડે સામે કાર્યવાહી કરવામાં આવી હતી
- બે PWD અધિકારીઓ પર પણ વિભાગમાં બદલીઓમાં ગેરરીતિનો આરોપ
ઉત્તર પ્રદેશમાં PWD વિભાગમાં ટ્રાન્સફર સંબંધિત ભ્રષ્ટાચારના મામલામાં યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. અનિલ કુમાર પાંડે, ઉત્તર પ્રદેશ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) મંત્રી જિતિન પ્રસાદના OSDની બદલી કરવામાં આવી છે, જ્યારે રાજ્ય સરકારના PWD વિભાગમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આરોપોને પગલે અન્ય પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PWD વિભાગ જિતિન પ્રસાદ હેઠળ છે અને ટ્રાન્સફર પોસ્ટિંગમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને તેમનો વિભાગ હાલ સવાલોના ચકડોળે ચડ્યો છે.
PWD મંત્રી જિતિન પ્રસાદના OSD અનિલ કુમાર પાંડે ટ્રાન્સફર સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠર્યા છે, તેમને તાત્કાલિક અસરથી હાકી કાઢવામાં આવ્યા છે. એટલું જ નહીં, ભારત સરકારમાંથી ડેપ્યુટેશન પર આવેલા અનિલ પાંડે સામે વિજિલન્સ તપાસ અને ખાતાકીય કાર્યવાહીની પણ ભલામણ કરવામાં આવી છે. જિતિન પ્રસાદ પાંડેને દિલ્હીથી યુપી લાવ્યા હતા.










