• હિમાચલ પ્રદેશના સોલનમાં જે.પી નડ્ડાની મુલાકાત
  • અભિનંદન સમારોહને કર્યો સંબોધિત
  • મોદીની ગેરંટી એટલે ગેરંટી પુરી કરવાની ગેરંટી- નડ્ડા

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે પ્રચાર પ્રસાર તેજ કર્યો છે. પીએમ મોદીએ દક્ષિણના રાજ્યોની કમાન સંભાળી છે. તો આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા હિમાચલ પહોંચ્યા હતા. હિમાચલના સોલનમાં રોડ શો યોજીને તેઓ અભિનંદન સમારોહમાં હાજરી આપી હતી.

જુઠ્ઠાણાથી રાજકારણ ન ચાલે- જે.પી નડ્ડા

સોલનમાં સન્માન સમારોહને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે જૂઠ્ઠુ બોલીને રાજકારણ ન ચલાવી શકાય, લોકોને છેતરીને રાજકારણ ન ચલાવી શકાય. આપણે લોકો સાથે જોડાવાનું છે, તેમનું ભાગ્ય બદલવું છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કામ કર્યું છે, એટલે જ રાજસ્થાનમાં જીત મળી, મધ્યપ્રદેશમાં જીત અને છત્તીસગઢમાં પણ જીત મળી. છત્તીસગઢમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો, મધ્યપ્રદેશમાં તમામ રેકોર્ડ તૂટી ગયા અને રાજસ્થાનમાં પણ કમળ ખીલ્યું. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે જનતાનો અતૂટ વિશ્વાસ છે, જેણે ભારતીય રાજકારણની સંસ્કૃતિને બદલી નાખી.

તોડવામાં કંઇ બાકી ન રાખ્યુ અને હવે જોડવા નીકળ્યા- જે. પી. નડ્ડા

તો રાહુલગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઇને જે.પી નડ્ડાએ કટાક્ષ કરતા કહ્યું કે તેઓએ ભારતને તોડવામાં કોઈ કસર છોડી ન હતી, હવે તમે ભારતને એક કરવાની યાત્રા શરૂ કરી છે. મોદીજીએ કલમ 370 હટાવી જેણે ભારતને નબળું પાડ્યું, પરંતુ કોંગ્રેસે કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો અને હવે તેઓ ભારતને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  • Follow us on:

[[$googlead]]