વન નેશન વન ઈલેક્શન માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચના કરવામાં આવી છે. 31 સભ્યોની JPCમાં અનુરાગ ઠાકુર અને પ્રિયંકા ગાંધી જેવા સાંસદોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ સમિતિનું નેતૃત્વ ભાજપના સાંસદ પી.પી. ચૌધરી કરશે. વન નેશન વન ઈલેક્શન બિલ લોકસભામાં સ્વીકારવામાં આવ્યું છે. હવે તેને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)ને મોકલવામાં આવ્યું છે.
મોદી સરકાર માટે રહેશે આ પડકાર
જેપીસીની ભલામણો મળ્યા બાદ નરેન્દ્ર મોદી સરકારનો આગામી પડકાર તેને સંસદમાં પસાર કરાવવાનો રહેશે. વન નેશન વન ઈલેક્શન સંબંધિત બિલ બંધારણ સુધારા બિલ હોવાથી લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પસાર કરવા માટે વિશેષ બહુમતીની જરૂર પડશે. કલમ 368(2) હેઠળ બંધારણીય સુધારા માટે વિશેષ બહુમતી જરૂરી છે. આનો અર્થ એ છે કે આ બિલને દરેક ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભામાં હાજર રહેલા અને મતદાન કરનારા સભ્યોની બે તૃતીયાંશ બહુમતી દ્વારા મંજૂર કરવું પડશે.
JPCમાં આ સભ્યોને કરાયા સામેલ
1. પી.પી. ચૌધરી (ભાજપ)
2. ડૉ. સીએમ રમેશ (ભાજપ)
3. બાંસુરી સ્વરાજ (ભાજપ)
4. પરષોત્તમભાઈ રૂપાલા (ભાજપ)
5. અનુરાગ સિંહ ઠાકુર (ભાજપ)
6. વિષ્ણુ દયાલ રામ (ભાજપ)
7. ભર્તૃહરિ મહાતાબ (ભાજપ)
8. ડૉ. સંબિત પાત્રા (ભાજપ)
9. અનિલ બલુની (ભાજપ)
10. વિષ્ણુ દત્ત શર્મા (ભાજપ)
11. પ્રિયંકા ગાંધી વાડ્રા (કોંગ્રેસ)
12. મનીષ તિવારી (કોંગ્રેસ)
13. સુખદેવ ભગત (કોંગ્રેસ)
14. ધર્મેન્દ્ર યાદવ (સમાજવાદી પાર્ટી)
15. કલ્યાણ બેનર્જી (TMC)
16. ટી.એમ. સેલ્વાગણપતિ (ડીએમકે)
17. જીએમ હરીશ બાલયોગી (ટીડીપી)
18. સુપ્રિયા સુલે (NCP-શરદ જૂથ)
19. ડૉ. શ્રીકાંત એકનાથ શિંદે (શિવસેના- શિંદે જૂથ)
20. ચંદન ચૌહાણ (RLD)
21. બાલશૌરી વલ્લભનેની (જનસેના પાર્ટી)
JPC શું કરશે?
સરકારે આ બિલને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)ને મોકલી દીધું છે. જેપીસીનું કામ આના પર વ્યાપકપણે વિચાર-વિમર્શ કરવાનું, વિવિધ પક્ષો અને નિષ્ણાતો સાથે ચર્ચા કરવાનું અને સરકારને તેની ભલામણો આપવાનું છે.