• NDAની સહયોગી પાર્ટીનું મહત્વનું નિવેદન
  • કેસી ત્યાગીએ અગ્નિવીર યોજનાને લઇને આપ્યુ નિવેદન
  • બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ-કે.તી ત્યાગી

NDAની સહયોગી પાર્ટી જનતા દળ યુનાઇટેડે મોટુ નિવેદન આપ્યું છે. કહ્યું કે UCC પર અમારું સ્ટેન્ડ હજુ પણ એ જ છે. જેડીયુના મહાસચિવ અને પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે ત્યારે પણ અમે કહ્યું હતું કે આ મામલે તમામ હિતધારકોને સાથે લેવાની જરૂર છે.

વ્યાપક ચર્ચાની જરૂર

કેસી ત્યાગીએ કહ્યું કે અમે ત્યારે પણ કહ્યું હતું કે તમામ રાજ્ય ધારકોને સાથે લેવાની અને આ બાબતે તેમના મંતવ્યો સમજવાની જરૂર છે. યુસીસી પર, નીતિશ કુમારે કાયદા પંચના અધ્યક્ષને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે અમે તેની વિરુદ્ધ નથી પરંતુ તેના પર વ્યાપક ચર્ચાની જરૂર છે.

અગ્નિવીર યોજનાને લઇને શું કહ્યું

કે.સી ત્યાગીએ અગ્નિવીર યોજનાને લઇને કહ્યું કે અગ્નિવીર યોજનાને લઈને ઘણો વિરોધ થયો હતો અને તેની અસર ચૂંટણીમાં પણ જોવા મળી હતી. આ અંગે પુનર્વિચાર કરવાની જરૂર છે. અગ્નવીર યોજનાને નવી રીતે વિચારવાની જરૂર છે. જે સુરક્ષાકર્મીઓ સેનામાં તૈનાત હતા અને જ્યારે અગ્નિવીર યોજના આવી ત્યારે એક મોટા વર્ગમાં અસંતોષ જોવા મળ્યો હતો. હું માનું છું કે તેમના પરિવારના સભ્યોએ પણ ચૂંટણીમાં વિરોધ કર્યો હતો, તેથી આજે નવી રીતે ચર્ચા કરવાની જરૂર છે.


બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ

વન નેશન, વન ઈલેક્શનનું સમર્થન કરતી વખતે કેસી ત્યાગીએ કહ્યું કે જ્યાં સુધી એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો સવાલ છે, અમે તેના સમર્થનમાં છીએ. કેસી ત્યાગીએ કહ્યું કે અમે એનડીએના મજબૂત ભાગીદાર તરીકે ઉભરી આવ્યા છીએ. અમે અટલ બિહારીની એનડીએ સરકારમાં ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારીઓ સંભાળી છે. અમે લાંબા સમયથી માંગ કરી રહ્યા છીએ કે જો બિહારમાંથી હિજરત રોકવી હોય તો તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. તે વડાપ્રધાનનો વિશેષાધિકાર છે કે તેઓ કોને કયું મંત્રાલય આપશે. અમારી આવી કોઈ માંગ નથી.

  • Follow us on: