[[$googlead]]
  • કેદારનાથ ધામના ખૂલ્યા કપાટ
  • મોટી સંખ્યામાં ભક્તો આવ્યા દર્શને
  • પીએમ મોદીના નામની કરાઇ પૂજા
ચારધામ યાત્રાની શરૂઆત થઇ ગઇ છે. તેમાંથી એક એવા સુપ્રિસદ્ધ યાત્રાધામ કેદરનાથના આજે કપાટ ખૂલ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી રહ્યા છે. કેદરનાથનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ભક્તો કેટલા ઉત્સાહિત છે તે જણાઇ રહ્યુ છે. આજે અખાત્રીજનો અવસર છે તેવામાં બાબા કેદારનાથના દર્શન થતા ભક્તો ઉમંગની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે સૌ પ્રથમ કેદારનાથને પીએમ મોદીના નામની પ્રથમ પૂજા કરવામાં આવી છે.

PM મોદીના નામે પ્રથમ પૂજા કરવામાં આવી
કેદારનાથના કપાટ ખૂલતા સીએમ ધામી પણ બાબાના દર્શને પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે ભક્તો અને યાત્રાળુઓ આતુરતાનો અંત આવ્યો છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. હું સૌને મારી શુભેચ્છા પાઠવું છું અને સૌનું સ્વાગત કરું છું. અહીં પહેલી પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવી છે.. સંપૂર્ણ વિધિ-વિધાન સાથે દર્શનનો પ્રારંભ થયો છે. તેઓ પીએમ બન્યા બાદ બાબા કેદાર મંદિરના પુનઃવિકાસનું કામ ત્રણ તબક્કામાં પૂર્ણ થઈ રહ્યું છે. અમારો પ્રયાસ છે કે તે જલ્દીથી પૂર્ણ થાય. 


હર હર મહાદેવના જયઘોષની સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા

નિયત સમય અનુસાર, ધાર્મિક વિધિઓ અને ધાર્મિક પરંપરા મુજબ, કેદારનાથ રાવલ ભીમાશંકર લિંગ, મુખ્ય પૂજારી શિવ શંકર લિંગ, પ્રશાસન, BKTC અધિકારીઓ અને સ્થાનિક લોકો અને ભક્તોની હાજરીમાં હર હર મહાદેવના જયઘોષની સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. વહીવટી તંત્રની હાજરીમાં મુખ્ય દરવાજાનું તાળું ખોલવામાં આવ્યું હતું. આ પછી ગર્ભગૃહનો દરવાજો ખોલવામાં આવ્યો. રાવલ અને મુખ્ય પૂજારીએ ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી હતી.


  • Follow us on:

[[$alsoread]]