- મહારાષ્ટ્રના પૂર્વ CM ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવારને મોટો ફટકો
- UBT ઉમેદવાર અમોલ કીર્તિકરને 8 એપ્રિલે ED કરશે પૂછપરછ
- પરપ્રાંતિય શ્રમિકોને ખીચડી વહેંચવાના નામે કોન્ટ્રાક્ટમાં ભારે ગોટાળા
મહારાષ્ટ્રના પૂર્વ CM ઉદ્ધવ ઠાકરે જૂથના લોકસભા ઉમેદવારને મોટો ઝટકો લાગ્યો છે. ખિચડી કૌભાંડ સંબંધિત એક કેસમાં EDએ શિવસેના (UBT) ઉમેદવાર અમોલ કીર્તિકરને નોટિસ મોકલી છે. ઉદ્ધવ જૂથે તેમને મુંબઈની ઉત્તર પૂર્વ-પશ્ચિમ બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા છે. EDએ તેને 8 એપ્રિલે પૂછપરછ માટે હાજર થવાનો આદેશ આપ્યો છે. હવે શું છે આ ખીચડી કૌભાંડ, ચાલો તેના વિશે પણ જણાવીએ.
મહારાષ્ટ્રના આ પ્રખ્યાત ખીચડી કૌભાંડ વિશે વાત કરીએ તો આ મામલો કોવિડ-19 એટલે કે કોરોના સમયગાળાની નજીકનો હોવાનું કહેવાય છે . આ કેસમાં એવા આક્ષેપો થયા છે કે તે દરમિયાન પરપ્રાંતિય કામદારોને ખીચડી વહેંચવા માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં ભારે ગોટાળા કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2023 માં જ, મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ખીચડી વિતરણ સંબંધિત રૂ. 6.37 કરોડના કૌભાંડમાં કથિત સંડોવણી બદલ અમોલ કીર્તિકર અને કેટલાક લોકો વિરુદ્ધ FIR નોંધી હતી.













