• તોફાનગ્રસ્ત બિષ્ણુપુર, ચૂરાચાંદપુર, તેંગનૌપાલ, તાંગપોકપી અને

  • ઈમ્ફલ વેસ્ટ જિલ્લામાંથી આ શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરાયાં
  • સીબીઆઈએ 3 DIG તેમજ એક પોલીસ સુપરિટેન્ડન્ટને તપાસ પર દેખરેખ માટે મોકલ્યા

હિંસાગ્રસ્ત મણિપુરમાંથી મોટા જથ્થામાં શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યા છે. સુરક્ષા દળોએ સર્ચ કામગીરી દરમિયાન જુદાજુદા જિલ્લાઓમાંથી 8 શસ્ત્રો તેમજ 112 રાઉન્ડ કારતૂસો મળી આવ્યા હતા. સુરક્ષા દળોએ 6 વિસ્ફોટકો પણ જપ્ત કર્યા હતા. સેનાનાં જવાનો દ્વારા રાજ્યનાં તોફાનગ્રસ્ત વિસ્તારો બિષ્ણુપુર, ચૂરાચાંદપુર, તેંગનૌપાલ, તાંગપોકપી અને ઈમ્ફલ વેસ્ટ જિલ્લામાંથી આ શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યા હતા.

સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે રાજ્યનાં કેટલાક જિલ્લામાં હજી સ્થિતિ તંગદિલીભરી છે અને ફાયરિંગ તેમજ દેખાવકારો પર હુમલાનાં બનાવો બની રહ્યા છે. તેંગનૌપાલ જિલ્લામાં 6 બંકર્સનો નાશ કરાયો છે. દરમિયાન NAB દ્વારા આસામનાં 4 લોકોની ઈમ્ફાલ વેસ્ટનાં મંત્રીપુખરી ખાતેથી ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી કોડેઈન ફોસ્ફેટ ધરાવતા સિરપની 1240 બોટલો જપ્ત કરાઈ છે.

CBIના 53 ઓફિસરો મણિપુર હિંસાની ઘટનાની તપાસ કરશે

દરમિયાન એવું જાણવા મળે છે કે મણિપુર હિંસાની ઘટનાઓની સીબીઆઈનાં 53 ઓફિસરો દ્વારા તપાસ કરવામાં આવશે. આ માટેની બનાવાયેલી જુદીજુદી ટીમમાં 29 મહિલાઓને સામેલ કરાઈ છે. સીબીઆઈએ 3 DIG તેમજ એક પોલીસ સુપરિટેન્ડન્ટને તપાસ પર દેખરેખ માટે મોકલ્યા છે. તપાસ ટીમમાં મોટાપાયે મહિલાઓને સામેલ કરવાની આ પહેલી ઘટના છે. સીબીઆઈ દ્વારા 17થી વધુ હિંસક ઘટનાઓની તપાસ કરવામાં આવશે.

મણિપુરમાં ભૂસ્ખલનથી હાઈવે બ્લોક : 500 ટ્રકો ફસાઈ

મણિપુરમાં મુશળધાર વરસાદને કારણે અનેક સ્થળે જમીન ધસી પડવાથી હાઈવે બ્લોક થઈ ગયો છે. આને કારણે 500 જેટલી ટ્રકો જુદાજજુદા સ્થળે ફસાઈ છે. ખાસ કરીને નોની જિલ્લામાં ઈમ્ફાલ - સિલ્ચર સેક્ટરનો હાઈવે બ્લોક થઈ ગયો છે. આને કારણે અનાજ અને ઈંધણનો પુરવઠો ખોરવાઈ ગયો છે. ઈરાંગ અને અવાંગખુલ ખાતે નેશનલ હાઈવે 37ને ભારે નુકસાન થયું છે.


  • Follow us on: