- ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતા ભંગ કેસમાં સરોજ પાંડેને કારણ બતાવો નોટિસ
- કોંગ્રેસની ચૂંટણીપંચમાં ફરિયાદઃ ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક કાર્યક્રમનો દુરુપયોગ કર્યો
- ધાર્મિક કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓના ફોટાવાળા બેનરો, પોસ્ટરો લગાવ્યા હતા
છત્તીસગઢના કોરબા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સરોજ પાંડેની મુશ્કેલી વધી શકે છે. ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતા ભંગ કેસમાં સરોજ પાંડેને કારણ બતાવો નોટિસ જારી કરી છે. પંચે સરોજ પાંડેને આ મામલે જવાબ આપવા માટે 29 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે.
ભાજપના ઉમેદવારે ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક કાર્યક્રમનો દુરુપયોગ કર્યો
આ મામલામાં કોંગ્રેસે તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ભાજપના ઉમેદવારે ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક કાર્યક્રમનો દુરુપયોગ કર્યો છે અને કાર્યક્રમના ખર્ચને તેમના ચૂંટણી ખર્ચમાં સામેલ કરવાની માંગણી પણ કરી છે. માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે કોંગ્રેસની ફરિયાદ બાદ કોરબા લોકસભા મતવિસ્તારના આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરે શુક્રવારે ભાજપના ઉમેદવાર સરોજ પાંડેને નોટિસ પાઠવી છે. તેમને 29મી એપ્રિલ સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના મંત્રીઓના ફોટાવાળા બેનરો અને પોસ્ટરો લગાવ્યા હતા
ફરિયાદ અનુસાર, ભાજપે શુક્રવારે મનેન્દ્રગઢ વિધાનસભા મતવિસ્તારના ચિરમીરી શહેરમાં ધીરેન્દ્ર ગિરી શાસ્ત્રીના ધાર્મિક કાર્યક્રમ માટે પાંડે અને ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારના મંત્રીઓના ફોટાવાળા બેનરો અને પોસ્ટરો લગાવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું
મામલામાં ધાર્મિક કાર્યક્રમનો સહારો લઈને રાજકીય હિત સાધવાનો પ્રયાસ
કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અશોક શ્રીવાસ્તવે ધીરેન્દ્ર શાસ્ત્રીના રામ કથા કાર્યક્રમના પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર સરોજ પાંડે અને છત્તીસગઢ સરકારના અન્ય મંત્રીઓની તસવીરો પોસ્ટ કરવા અંગે લેખિત ફરિયાદ કરી હતી. તેના પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે ભાજપના ઉમેદવાર સરોજ પાંડેને કારણ બતાવો નોટિસ ફટકારી છે. આયોગે તેની નોટિસમાં લખ્યું છે કે સ્પષ્ટપણે જણાઈ આવે છે કે આ મામલામાં ધાર્મિક કાર્યક્રમનો સહારો લઈને રાજકીય હિત સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.