• આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત ઘણા મોટા નેતાઓ હાજર
  • નોમિનેશન પહેલા સ્મૃતિ અમેઠીમાં તેમના નવા ઘરમાં પૂજા-હવન કર્યો હતો
  • સ્મૃતિ ઈરાનીએ રવિવારે અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કર્યા હતા

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા અમેઠી લોકસભામાંથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવનાર સાંસદ સ્મૃતિ ઈરાની આજે ઉમેદવારી નોંધાવશે. આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહેશે. બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઈરાની લગભગ 12.15 વાગ્યે ઉમેદવારી પત્ર ફાઈલ કરશે.

સ્મૃતિ અમેઠીમાં તેમના નવા ઘરમાં પૂજા-હવન કર્યો હતો

[[$googlead]]

[[$alsoread]]

નોમિનેશન પહેલા સ્મૃતિ અમેઠીમાં તેમના નવા ઘરમાં પૂજા-હવન કર્યો હતો. આ પછી બીજેપી ઓફિસ પહોંચ્યા, જ્યાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે તેમનું સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ ભાજપ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી રોડ શો યોજાશે. ત્યારબાદ તે પોતાનું નોમિનેશન ફાઇલ કરશે. ભાજપ રોડ શોના નામે તાકાત બતાવવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન ભાજપના કાર્યકરો લગભગ 20 હજારની ભીડ એકઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સ્મૃતિ ઈરાનીએ રામલલ્લાના દર્શન કર્યા હતા

નોમિનેશનના એક દિવસ પહેલા સ્મૃતિ ઈરાનીએ રવિવારે અયોધ્યામાં રામ લલ્લાની પૂજા કરી હતી અને દેશની પ્રગતિ માટે કામના કરી હતી. તેમણે હનુમાનગઢી મંદિરની પણ મુલાકાત લીધી અને અમેઠીના રહેવાસીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી. અહીં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આજે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું એવા યુગમાં જન્મી છું જેમાં અમારા રામલલ્લાને એક ભવ્ય સમારોહ દ્વારા તંબુથી લઈને ભવ્ય મંદિર સુધી સ્થાપિત કરવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધી 2019માં હારી ગયા

ભાજપે ફરી એકવાર ઈરાનીને 2024ની લોકસભા ચૂંટણીમાં અમેઠી સીટ પરથી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ આ સીટ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લગભગ 55,000 મતોના જંગી અંતરથી હરાવ્યા હતા. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો તેણે હજુ સુધી અમેઠીથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. અમેઠીમાં પાંચમા તબક્કા માટે 20 મેના રોજ મતદાન થશે.


  • Follow us on: