• TMC ચીફ મમતા બેનર્જીએ કોંગ્રેસ પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો
  • રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા મમતા બેનર્જીનું નિવેદન
  • મમતા બેનર્જીનું સ્લોગન બદલાઈ ગયું છે : કોંગ્રેસ

2024ની ચૂંટણી પહેલા TMC ચીફ મમતા બેનર્જીએ કોંગ્રેસ પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો છે. રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા મમતા બેનર્જીએ કહ્યું છે કે જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા રહેશે તો મોદીને કોઈ હરાવી શકશે નહીં. કારણ કે રાહુલ ગાંધી મોદીની સૌથી મોટી ટીઆરપી છે. હવે કોંગ્રેસે મમતા પર વળતો પ્રહાર કર્યો છે.

https://twitter.com/ANI/status/1637666863395086336

'જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા રહેશે તો નરેન્દ્ર મોદીને કોઈ નિશાન બનાવી શકશે નહીં' એવા મમતા બેનર્જીના નિવેદન પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, 'મમતા બેનર્જી મોદીજીના આદેશ અને સૂચના પર આવું કહી રહ્યાં છે. મમતા બેનર્જીએ બંગાળમાં સાબિત કરી દીધું છે કે તેમની અને પીએમ મોદી વચ્ચે સમજૂતી છે.

અધીર રંજન ચૌધરીએ વધુમાં કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ખતમ કરવાનો છે અને તેમની છબી ખરાબ કરવાનો છે. મમતા બેનર્જીનું સ્લોગન બદલાઈ ગયું છે, ED-CBIથી બચવા માંગે છે, કોંગ્રેસનો જે પણ વિરોધ કરશે મોદી તેનાથી ખુશ રહેશે. તેમનો સૌથી મોટો પ્રયાસ પીએમ મોદીને ખુશ કરવાનો છે.

'ભાજપ મોદી vs રાહુલને મુદ્દો બનાવવા માંગે છે'

વાસ્તવમાં, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં રવિવારે (19 માર્ચ) TMC કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે, મમતા બેનર્જીએ ભાજપ અને રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા રહેશે તો નરેન્દ્ર મોદીને કોઈ હરાવી શકશે નહીં. રાહુલ ગાંધી પીએમ મોદી માટે ટીઆરપી જેવા છે.

મમતાએ કહ્યું, 'રાહુલ ગાંધી જે કહે છે તેને ભાજપ અતિશયોક્તિ કરે છે. લંડનમાં તેમની કથિત ભારત વિરોધી ટિપ્પણીથી લઈને તેમની દાઢીની લંબાઈ અને ભારત જોડો યાત્રા દરમિયાન તેમણે પહેરેલા ટી-શર્ટ સુધી, ભાજપ તેને ચર્ચાનો મુદ્દો બનાવતો રહે છે. આ કારણ વગર નથી. ભાજપ ઇચ્છે છે કે 2024ની લોકસભાની ઝુંબેશ મોદી વિરુદ્ધ રાહુલની લડાઈમાં ફેરવાય, જ્યાં મોદી નિઃશંકપણે વિજેતા તરીકે ઉભરી આવશે.