- કંપનીનાં પ્રમોટર્સ પર મની લોન્ડરિંગનો આરોપ
- કંપનીનાં પ્રમોટર્સે હિસાબોમાં ગોલમાલ કરીને વેચાણ અને નફો વધારે બતાવ્યા
- સરકારને પણ 10,000 કરોડથી 15,000 કરોડનું નુકસાન
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED) દ્વારા દેશભરમાં એમટેક ગ્રૂપનાં 35 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. કંપનીનાં પ્રમોટર્સ દ્વારા બેન્કો સાથે ફ્રોડ આચરીને રૂ. 20,000 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
ઈડીએ આ પછી કંપનીનાં માલિકો સામે મની લોન્ડરિંગનો કેસ કરીને તપાસ હાથ ધરી છે. ઈડીનાં અધિકારીઓ દ્વારા દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ, મુંબઈ, નાગપુર સહિત કંપનીનાં 35 સ્થળે દરોડાની કામગીરી કરવામાં આવી હતી. ગ્રૂપનાં પ્રમોટર્સ અરવિંદ ધામ, ગોવિંદ મલ્હોત્રા અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગની તપાસ કરવામાં આવી રહી છે. પ્રમોટર્સોએ બેન્કો પાસેથી રૂ. 20,000 કરોડની લોન લઈને તેની ઉચાપત કરી હતી અને અંગત વપરાશ માટે તેનો ઉપયોગ કર્યો હતો.










