પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધનથી રાજકીય દિગ્ગજો સહિત સૌ કોઇ શોકની લાગણી અનુભવી રહ્યા છે. ગઇકાલે રાત્રે તેમણે 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. હાલમાં તેમના નશ્વરદેહને તેમના નિવાસ સ્થાને દર્શનાર્થે મૂકવામાં આવ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ, પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જે.પી નડ્ડા, પ્રિયંકાગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત દિગ્ગજો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. પીએમ મોદીએ તેમના પરિવાર સાથે વાતચીત કરીને સાંત્વના આપી હતી.

[[$googlead]]

પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

ડૉ.મનમોહન સાથેના તેમના સંબંધોને યાદ કરતાં પીએમ મોદીએ વીડિયો સંદેશ દ્વારા કહ્યું, કે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધનથી આપણા બધાના હૃદયમાં ઊંડું દુઃખ થયું છે. તેમનું નિધન એક રાષ્ટ્ર તરીકે આપણા માટે મોટી ખોટ છે. વિભાજનના સમયગાળામાં ઘણું ગુમાવીને ભારત આવવું અને અહીં જીવનના દરેક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરવી એ સામાન્ય વાત નથી. તેમનું જીવન ભાવિ પેઢીઓને શીખવતું રહેશે કે કેવી રીતે મુશ્કેલીઓ અને સંઘર્ષોથી ઉપર ઊઠીને ઊંચાઈ પ્રાપ્ત કરી શકાય છે.

તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે- પીએમ મોદી 
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તેઓ એક ઉમદા વ્યક્તિ તરીકે, એક વિદ્વાન અર્થશાસ્ત્રી તરીકે, સુધારા પ્રત્યે સમર્પિત નેતા તરીકે, તેમને હંમેશા યાદ કરવામાં આવશે. અર્થશાસ્ત્રી તરીકે તેમણે ભારત સરકારમાં વિવિધ સ્તરે સેવા આપી હતી. તેમણે પડકારજનક સમયમાં રિઝર્વ બેંકના ગવર્નરની ભૂમિકા ભજવી હતી. પૂર્વ પીએમ ભારત રત્ન નરસિમ્હા રાવના કાર્યકાળ દરમિયાન નાણામંત્રી રહીને તેમણે નાણાકીય સંકટથી ઘેરાયેલા દેશમાં નવી અર્થવ્યવસ્થાનો માર્ગ મોકળો કર્યો હતો. વડાપ્રધાન તરીકે દેશના વિકાસ અને પ્રગતિમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. ,

તેમના જન્મદિવસે વાત કરી હતી- પીએમ મોદી 
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે પાર્ટી રાજનીતિથી દૂર થઈને તેઓ હંમેશા દરેક વ્યક્તિ સાથે સંપર્કમાં રહેતા હતા.  જ્યારે હું સીએમ હતો ત્યારે ડો. સિંહ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ખુલ્લા મનથી ચર્ચા કરવામાં આવી હતી. અહીં દિલ્હી આવ્યા પછી હું સમયાંતરે તેમની સાથે વાત કરતો અને મળતો. હું તેમની સાથેની મારી મુલાકાતો અને દેશને લગતી ચર્ચાઓને હંમેશા યાદ રાખીશ. તેમનો જન્મદિવસ હતો ત્યારે પણ મેં તેમની સાથે વાત કરી હતી. હું તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. 

  • Follow us on: