- આગામી 30 એપ્રિલના રોજ પીએમ મોદીની મન કી બાતના 100 એપિસોડ પૂરા થશે
- પીએમ મોદીની મન કી બાત' મૂળભૂત રીતે વાસ્તવિક જીવનની વાર્તાઓ અને અનુભવો
- માત્ર મન કી બાતની પ્રાસંગિકતા અને આપણાં જીવનમાં તેનાં મહત્ત્વ પૂરતી બિરદાવી
વડાપ્રધાન મોદીએ 2014માં શરૂ કરેલ મન કી બાત કાર્યક્રમની શરૂઆત એક રેડિયો વાર્તાલાપ તરીકે થઈ હતી. મન કી બાત દર્શાવે છે કે અહીં બે મોદી છે-મજબૂત, શક્તિશાળી, હેતુપૂર્ણ વડાપ્રધાન મોદી, અને મૃદુ, માયાળુ, સૌમ્ય પિતાતુલ્ય વડા એવા મોદી. જો તમે તમારી આંખો બંધ કરીને 'મન કી બાત' સાંભળશો, તો તમે વિચારશો કે મોદીજી કોઈ ગામના ચૌપાલમાં બેઠા છે, લોકો સાથે વાતચીત કરી રહ્યા છે, તેમની વાત સાંભળી રહ્યા છે, તેમની સાથે વાત કરી રહ્યા છે, જ્યાં જરૂર પડે ત્યાં ઋષિની જેમ સલાહ આપી રહ્યા છે, અથવા કોઈ અનુકરણીય કાર્ય માટે કોઈની પ્રશંસા કરી રહ્યા છે.પીએમ મોદીની મન કી બાત' મૂળભૂત રીતે વાસ્તવિક જીવનની વાર્તાઓ અને અનુભવો છે.
મન કી બાતનો પહેલો ઍપિસોડ 3 ઑક્ટોબર 2014ના રોજ પ્રસારિત થયો હતો. 30 એપ્રિલ, 2023ના રોજ તેના 100 ઍપિસોડ પૂરા થશે. 262 રેડિયો સ્ટેશનો અને 375થી વધારે ખાનગી અને સામુદાયિક રેડિયો સ્ટેશનો સાથે દુનિયાનું સૌથી મોટું રેડિયો નેટવર્ક 'ઑલ ઇન્ડિયા રેડિયો' મારફતે ભારતના વડાપ્રધાન સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક રીતે વૈવિધ્ય ધરાવતાં લોકોની વિશાળ વિવિધતા સુધી પહોંચે છે. 'મન કી બાત'નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના વડાપ્રધાન અને તેના નાગરિકો વચ્ચે સીધો સંપર્ક સાધવાનો છે. સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાઓ, બેટી પઢાઓ, કોવિડ રસીકરણ અને હર ઘર તિરંગા તેનાં કેટલાક ગૌરવશાળી ઉદાહરણો છે. કટોકટીના સમયમાં પણ, જેમ કે કોવિડ મહામારી દરમિયાન આ પ્રોગ્રામે લોકોને માહિતગાર રાખવામાં અને રસી લેવા માટે પ્રેરિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારતની રસીની ગાથા મન કી બાતને કારણે મોટા પાયે તેની સફળતાને આભારી છે. તે જ એક માત્ર મન કી બાતની પ્રાસંગિકતા અને આપણાં જીવનમાં તેનાં મહત્ત્વ પૂરતી બિરદાવી છે.










