• મોદી કેબિનેટમાં વિવિધ વિભાગની જવાબદારી સોંપવામાં આવી
  • અનુરાગ ઠાકુરની જગ્યાએ મનસુખ માંડવિયા રમતગમત મંત્રાલય સંભાળશે
  • ગત ટર્મમાં ડો.મનસુખ માંડવિયા પાસે આરોગ્ય મંત્રાલય હતું

આજે એટલે કે 10 જૂન, 2024ના રોજ મોદી સરકારના ત્રીજા કાર્યકાળ માટે અલગ-અલગ મંત્રીઓને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આવો તમને જણાવીએ કે આ કાર્યકાળ માટે રમતગમત મંત્રીની જવાબદારી કયા મંત્રીને મળી છે.

9 જૂન, 2024 ના રોજ સાંજે, નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા. આ દરમિયાન તેમના સિવાય 71 સાંસદોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ સમારોહ પૂરો થયો ત્યારથી જ લોકો એ જાણવાની રાહ જોઈ રહ્યા હતા કે, કયા મંત્રીને કયા વિભાગની જવાબદારી સોંપવામાં આવશે. આજે એટલે કે સોમવાર, 10 મેના રોજ મોદી સરકારે આ રાહ ખતમ કરી અને યાદી જાહેર કરીને સ્પષ્ટ કરી દીધું કે ક્યા મંત્રીને કયો વિભાગ આપવામાં આવ્યો છે. આ સમાચારમાં અમે તમને જણાવીશું કે મોદી કેબિનેટમાં કયા મંત્રીને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી આપવામાં આવી છે 

રમતગમત મંત્રાલય કોણ સંભાળશે?

અગાઉના કાર્યકાળ દરમિયાન એટલે કે મોદી 2.O, અનુરાગ ઠાકુરને રમતગમત મંત્રાલય સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ વખતે પણ તેઓ ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણી જીત્યા હતા પરંતુ આ વખતે તેમને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા નથી. તો હવે સવાલ એ છે કે રમતગમત મંત્રાલય કયા મંત્રીને આપવામાં આવશે. તો અમે તમને જણાવી દઈએ કે ડૉ.મનસુખ માંડવિયા આ કાર્યકાળ દરમિયાન રમતગમત મંત્રાલય સંભાળશે. ગત ટર્મમાં ડો.મનસુખ માંડવિયા પાસે આરોગ્ય મંત્રાલય હતું, પરંતુ આ વખતે તેમને રમતગમત મંત્રાલય આપવામાં આવ્યું છે. સમાચાર હજુ વધુ અપડેટ કરવામાં આવી રહ્યા છે.

  • Follow us on: