• પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ખોટા વહેમમાં જીવે છે
  • ટૂંક જ સમયમાં એમના આ ખોટા વહેમ દૂર થઈ જશે
  • કમલનાથ બોલ્યા હતા કે, ખોટી જાહેરાતનું મશીન બંધ થશે

મધ્યપ્રદેશમાં ચૂંટણીની તારીખની જાહેરાત બાદ રાજકીય વાતાવરણ વધુ ગરમ થવા લાગ્યું છે. હવે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ પણ રાજ્યના રાજકારણમાં આવી ગયું છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને ઈન્દોર વિધાનસભા બેઠક નંબર એક પરથી ભાજપના ઉમેદવાર જાહેર કરાયેલા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી આતંકવાદ સાથે છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં હમાસને ટેકો આપીને, તેમણે ફરી એકવાર સાબિત કર્યું કે તે ચોક્કસ વર્ગને ખુશ કરવા માટે કેટલા નીચે જઈ શકે છે.

દરેક વ્યક્તિ વડાપ્રધાનની તરફેણમાં

[[$googlead]]

દરેક વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતનું સમર્થન ઈચ્છે છે. ભારતના ઈઝરાયેલ સાથે સારા સંબંધો છે. તેમણે યુદ્ધમાં ઈઝરાયેલને સાથ આપ્યો છે. બધાએ એક થઈને આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવું જોઈએ. કોંગ્રેસ CWCએ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને પેલેસ્ટાઈનના સમર્થનમાં ઠરાવ પસાર કર્યો છે.INCIndiaએ ફરી એકવાર રાષ્ટ્રીય નીતિ અને રાષ્ટ્રીય હિત વિરુદ્ધ નિર્ણય લેતો ઠરાવ પસાર કર્યો છે. કોંગ્રેસની વર્કિંગ કમિટીએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના સમર્થનમાં ઠરાવ પસાર કર્યો છે. નોંધનીય છે કે હમાસે તાજેતરમાં જ એક સાથે 5000 મિસાઇલો છોડીને ઇઝરાયેલ સામે યુદ્ધની જાહેરાત કરી હતી. દુનિયાભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. તો બીજી તરફ દુનિયાના દેશ બે ભાગમાં વિભાજીત થયા હોય એવો માહોલ છે.

[[$alsoread]]

કોંગ્રેસનો હાથ આતંકવાદ સાથે

અત્યંત નિંદનીય !!! ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને કોંગ્રેસે પેલેસ્ટાઈનના સમર્થનમાં ઠરાવ તેમણે પસાર કર્યો છે. કોંગ્રેસે ફરી એકવાર રાષ્ટ્રીય નીતિ અને રાષ્ટ્રીય હિત વિરુદ્ધ નિર્ણય લીધો છે. કોઈ ચોક્કસ ધર્મના લોકોને ખુશ કરવા કોંગ્રેસ કેટલું ઝૂકશે? હવે કોંગ્રેસ આતંકવાદ સાથે પણ સમાધાન કરવા તૈયાર છે. અમે અને અમારી પાર્ટી વિપક્ષમાં પણ રહીએ છીએ. પરંતુ ક્યારેય રાષ્ટ્રહિત વિરુદ્ધ કોઈ પગલું ભર્યું નથી. આતંકવાદ સાથે કોંગ્રેસનો હાથ છે. એવું અંતમાં ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું હતું. 

  • Follow us on: