• ગેસ લીકમાં અત્યાર સુધીમાં 11ના મોત
  • ડ્રોનથી લોકોના ઘરની છત પર તપાસ ચાલુ
  • પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ પણ સ્થળ પર પહોંચી

રવિવારની સવારે પંજાબના લુધિયાણામાં ગેસ લિકના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને આ ઘટનામાં 2 બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. ઘટના બાદ પહેલા ફાયર બ્રિગેડ અને ત્યારબાદ NDRFની ટીમે હવે મોરચો સાંભળ્યો છે. ઘટનાની ગંભીરતા જોતાં સ્થાનિક તંત્રએ વિસ્તાર સીલ કરી દીધો છે. NDRFની 2 ટીમ દરેક ઘરની તપાસ કરી રહી છે. આ સાથે જ ડ્રોનની મદદથી દરેક ઘરની છત પર પણ તપાસ કરવામાં આવી રહી છે.


[[$googlead]]

[[$alsoread]]

પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ પહોંચી હતી

અકસ્માતના કલાકો બાદ પણ સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાયેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે. આસપાસના તમામ ઘરો હવે બંધ છે. ગેસની ગંધ ઓસર્યા બાદ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવશે. પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગેસ લીક ​​થવાથી વધુ નુકસાન ન થાય તે માટે પોલીસે આસપાસના 300 મીટર વિસ્તારને ખાલી કરાવ્યો છે.

આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન

સ્થાનિક તંત્રના જણાવ્યા પ્રમાણે જ્યાં ઘટના બની છે તે અને તેની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. NDRFની ટીમ દરેક ઘરમાં જઈને તપાસ કરી રહી છે અને સાથે જ પોલીસ તંત્ર પણ ઘરમાં રહેલા લોકોને શું અસર થઈ છે તેની ચકાસણી કરી રહ્યું છે.

4 પોલીસ કર્મી બેહોશ થયા

સવારથી ઘટનાસ્થળે ઉભેલા ધારાસભ્ય રાજીન્દરપાલ કૌર છીનાની તબિયત પણ બગડી છે. તેને હોસ્પિટલમાં પણ મોકલવામાં આવ્યો છે. આ સિવાય રાહત બચાવમાં લાગેલા ચાર પોલીસ કર્મચારીઓ પણ બેહોશ થઈ ગયા છે. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર ચારેય કર્મચારીઓ ખતરાની બહાર છે.

  • Follow us on: