'ચલો સંસદ માર્ચ' દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ક્રૂર લાઠીચાર્જ, ટીયર ગેસ અને સામૂહિક ધરપકડ બાદ, કોંગ્રેસ પાર્ટીએ આગેવાની લીધી છે.
કાનૂની સહાય પૂરી પડાશે
NEET પરીક્ષામાં ગેરરીતિઓના વિરોધમાં અને શિક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગણી માટે યોજાયેલા દિલ્હીમાં ચલો સંસદ માર્ચ દરમિયાન ધરપકડ કરાયેલા અને અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓ અને યુવાનોના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણપણે બહાર આવી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ આજે એક મોટી જાહેરાત કરી છે કે, પાર્ટીની ખાસ કાનૂની ટીમ વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કરાયેલા, ઘાયલ થયેલા અથવા કથિત પોલીસ બર્બરતાનો ભોગ બનેલા કોઈપણ યુવકને તમામ શક્ય કાનૂની સહાય પૂરી પાડશે.
જયરામ રમેશે સોશિયલ મીડિયા પર મુકી પોસ્ટ
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ સ્પષ્ટપણે જાહેર કર્યું કે પાર્ટીની ખાસ કાનૂની ટીમ આવા તમામ અસરગ્રસ્ત યુવાનોને કોઈપણ શરત વિના તમામ શક્ય કાનૂની સહાય પૂરી પાડશે. પાર્ટીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે, અને આ મુદ્દાને વિદ્યાર્થીઓના ભવિષ્ય સંબંધિત રાષ્ટ્રીય મુદ્દો ગણાવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ અને કોમ્યુનિકેશન ઇન્ચાર્જ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી. તેમણે અસરગ્રસ્ત યુવાનો અને તેમના પરિવારોને તાત્કાલિક પાર્ટીની કાનૂની ટીમનો સંપર્ક કરવા અપીલ કરી છે.
AICC દ્વારા જાહેર કરાયેલ વકીલોની યાદી નીચે મુજબ છે...
કપિલ મદન - [email protected]
ઋષભ રંજન - [email protected]
અર્જુન શર્મા - [email protected]
શૌર્ય વિક્રમ - [email protected]
ગુરબાની કૌર ભાટિયા - [email protected]
AICCએ શુ આપી પ્રતિક્રિયા ?
આ ઉપરાંત, કોંગ્રેસ પાર્ટીએ ગુગલ ફોર્મની લિંક પણ શેર કરી છે. પાર્ટીએ વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા અને અસરગ્રસ્ત પરિવારોને સંપૂર્ણ વિગતો સાથે ફોર્મ ભરવા વિનંતી કરી છે જેથી કાનૂની ટીમ તેમનો સીધો સંપર્ક કરી શકે અને જરૂરી કાનૂની કાર્યવાહી કરી શકે. AICCએ જણાવ્યું છે કે જો જરૂરી હોય તો, વકીલોની એક ટીમ અસરગ્રસ્ત પરિવારોના ઘરની મુલાકાત લેશે. આ પહેલાં, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે રામ મનોહર લોહિયા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પોલીસ લાઠીચાર્જમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને મળ્યા હતા.
રાહુલ અને પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા
સંસદ સંકુલમાં મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસની ક્રૂર કાર્યવાહી માટે માફી માંગવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ. ગૃહમંત્રી અમિત શાહે પણ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ માટે રાજીનામું આપવું જોઈએ. સરકાર યુવાનોનો અવાજ દબાવવા માંગે છે. પરંતુ અમે આ સહન કરીશું નહીં. આ દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે તેઓ ગૃહમાં આ મુદ્દા પર ચર્ચા કરવા માંગે છે, પરંતુ વિપક્ષને બોલવાની તક આપવામાં આવી રહી નથી. આ ગૃહ એ યુવાનોનું છે જેમની સામે આજે સરકાર બળપ્રયોગ કરી રહી છે. બાળકોનો અવાજ સાંભળવો જ જોઇએ. શિક્ષણ મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.
આ પણ વાંચોઃ આર્ટિફિશિયલ જ્વેલરીમાં ઝેરી ધાતુની ભેળસેળથી કેન્સરનું જોખમ ઉભુ થવાની શક્યતા
