શત્રુઘ્ન સિંહા કહ્યુ હતુ કે, મમતા બેનર્જીએ મારા મુશ્કેલીના સમયમાં મને ટેકો આપ્યો હતો, અને હું તેમને છોડીશ નહીં.
મારા વિશે અફવાઓ હતીઃ શત્રુઘ્ન સિંહા
ટીએમસીની અંદર અંધાધૂંધી વચ્ચે, અફવાઓ ફેલાઈ ગઈ હતી કે સાંસદ શત્રુઘ્ન સિંહા પણ બળવો કરી રહ્યા છે. એવી અફવા હતી કે શત્રુઘ્ન પણ ટીએમસી છોડવા જઈ રહ્યા છે, પરંતુ હવે આ વાત પર પૂર્ણ વિરામ લાગ્યો છે. સિંહાએ કહ્યું છે કે, તેઓ ટીએમસી છોડી રહ્યા નથી. મમતાજીએ મારા મુશ્કેલીના સમયમાં મને ટેકો આપ્યો હતો, હું તેમને છોડી રહ્યો નથી. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, છેલ્લા કેટલાક દિવસોથી મારા વિશે ઘણી અટકળો ચાલી રહી છે. કેટલાક લોકો સત્ય કહી રહ્યા છે, જ્યારે કેટલાક અફવાઓ ફેલાવી રહ્યા છે.
શત્રુઘ્ન સિંહાનો સાથ મમતા સાથે
શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે, હું આસનસોલ અને પશ્ચિમ બંગાળના લોકોનો આભાર માનવા માંગુ છું. જેમણે મને આટલો પ્રેમ, આદર અને ટેકો આપ્યો અને વારંવાર મારી જીત સુનિશ્ચિત કરી. હું પહેલી વાર દીદીના આમંત્રણ અને વિનંતી પર આસનસોલ આવ્યો હતો. ત્યાં મારી પહેલી જ ચૂંટણીમાં, હું રેકોર્ડ માર્જિનથી જીત્યો. બાદમાં, હું બીજી વાર મોટા માર્જિનથી જીત્યો. તેથી, હું ખાસ કરીને મમતાજી, તૃણમૂલ કોંગ્રેસ અને સૌથી ઉપર, આસનસોલ અને પશ્ચિમ બંગાળના લોકોનો આભાર માનુ છું.
પીએમ મોદીને પાઠવ્યા અભિનંદન
ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિંહાએ પીએમ મોદીને 12 વર્ષ કાર્યકાળ પૂર્ણ થવા માટે અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ખેલાડી ભાવનામાં, અમારા મિત્ર અને સમાજના માર્ગદર્શક, પીએમ મોદીને 12 વર્ષ કાર્યકાળ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવું છું. જે કદાચ અત્યાર સુધીનો સૌથી લાંબો કાર્યકાળ છે. હું તમને લાંબા, સ્વસ્થ અને સુખી જીવનની શુભેચ્છા પાઠવું છું.
આ પણ વાંચોઃ Strait of Hormuz આગામી સૂચના સુધી બંધ, પર્સિયન ગલ્ફ વોટરવે મેનેજમેન્ટ ઓથોરિટીની જાહેરાત













