દેશના સંસદીય ઈતિહાસમાં એક મોટી રાજકીય ઘટના ઘટી છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલું 131મું બંધારણીય સુધારા વિધેયક બે-તૃતિયાંશ બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી. આ બિલની તરફેણમાં જરૂરી મતો ન પડતા તે 54 મતોથી ગબડી પડ્યું છે. આ બિલમાં સંસદની હાલની 543 બેઠકો વધારીને 850 કરવા અને તેને સીમાંકન સાથે જોડવાની જોગવાઈ હતી, જેનો વિપક્ષે લોકશાહી માળખા પર હુમલો ગણાવી સખત વિરોધ કર્યો હતો.
સત્તાપક્ષનો પ્રહાર: "નારી શક્તિનું અપમાન"
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાને મહિલાઓનું અપમાન ગણાવતા કોંગ્રેસ, TMC, DMK અને સપા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, "મહિલાઓને 33% અનામત આપતા બિલને રોકવા બદલ વિપક્ષે 2029ની ચૂંટણીમાં મહિલાઓના આક્રોશનો સામનો કરવો પડશે." ભાજપનો આરોપ છે કે વિપક્ષે જાણીજોઈને નારી શક્તિ વંદન અધિનિયમમાં અવરોધ ઊભો કર્યો છે.













