ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જીને આંખની સારવાર માટે વિદેશ પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી નથી. 

કોલકાતા હાઈકોર્ટનો આદેશ 

કોલકાતા હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, કોર્ટ કોઈ તબીબી નિષ્ણાત સંસ્થા નથી. તેથી, નિષ્ણાત ડોકટરોના રિપોર્ટ વિના વિદેશ પ્રવાસની પરવાનગી આપી શકાતી નથી. કોર્ટે તેમને 6 ઓગસ્ટના રોજ કોલકાતાની SSKM હોસ્પિટલના નેત્ર વિભાગના વડા સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. મેડિકલ રિપોર્ટ ઉપલબ્ધ થયા પછી જ આગળનો નિર્ણય લેવામાં આવશે.

કોલકાતા હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યુ કે, અમે ડોકટર નથી 

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ તબીબી નિષ્ણાતોને બદલી શકતી નથી. તેથી, દર્દીને વિદેશમાં સારવાર કરાવવાની મંજૂરી આપતા પહેલા નિષ્ણાત ડોકટરોનો અભિપ્રાય જરૂરી છે. આ કારણોસર, કોર્ટે અભિષેક બેનર્જીને SSKM હોસ્પિટલના નેત્ર વિભાગના વડા સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો. હવે ડોકટરોના રિપોર્ટના આધારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અગાઉ ફગાવાઇ હતી અરજી 

આ પહેલી વાર નથી જ્યારે અભિષેક બેનર્જીને કોર્ટ તરફથી નિરાશાનો સામનો કરવો પડ્યો હોય. ગયા મહિને, કોલકાતા હાઈકોર્ટની આ જ સિંગલ બેન્ચે વિદેશ પ્રવાસની પરવાનગી માંગતી તેમની અરજી ફગાવી દીધી હતી. તે સમયે, કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સરકારી હોસ્પિટલના નિષ્ણાત ડોકટરો પહેલા તેમની તપાસ કરે. મેડિકલ રિપોર્ટની સમીક્ષા કર્યા પછી જ આગળના નિર્ણયો લેવામાં આવશે.

6 ઓગસ્ટનો રિપોર્ટ મહત્વપૂર્ણ 

આખો કેસ હવે 6 ઓગસ્ટ પર કેન્દ્રિત છે. હાઈકોર્ટે અભિષેક બેનર્જીને SSKM મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નેત્રરોગ વિભાગના વડા સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. ડોક્ટરની તપાસ અને મેડિકલ રિપોર્ટ નક્કી કરશે કે વિદેશમાં સારવાર જરૂરી છે કે દેશની અંદર શક્ય છે. કોર્ટનો આગામી નિર્ણય આ રિપોર્ટ પર આધાર રાખશે. અભિષેક બેનર્જીની આંખની સમસ્યા નવી નથી. ઓક્ટોબર 2016માં, મુર્શિદાબાદથી કોલકાતા પરત ફરતી વખતે, તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેની આંખને ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ, તેને દેશભરની ઘણી હોસ્પિટલોમાં સારવાર મેળવી હતી. બાદમાં તે સારી સારવાર માટે વિદેશ ગયા હતા. 

આ પણ વાંચોઃ નખમાં દેખાતો અર્ધચંદ્રાકાર આપે છે હૃદય અને કિડનીના સ્વાસ્થ્યના સંકેત