સંસદમાં વિપક્ષ દ્વારા અમિત શાહ જવાબ આપે તેવી માગ કરવામાં આવી હતી. આ મામલે તેઓએ સદનમાં હોબાળો કર્યો અને સંસદ પરિસરમાં પણ વિરોધ પ્રદર્શન કર્યા. આ મામલે સરકાર કહી ચૂકી છે કે તે વાત કરવા તૈયાર છે. વિપક્ષના દરેક જવાબ આપવા તૈયાર છે પરંતુ વિપક્ષ ભાગે નહીં, સાંભળે. આ મામલે 11 ઓગ્ષટે એનડીએ સાંસદો દ્વારા અમિત શાહ જવાબ આપશે રાહુલ ગાંધી ભાગે નહીં તેવા બેનરો સાથે માર્ચ કાઢવામાં આવી હતી. ત્યારે હવે આ જે અમિત શાહે સ્પષ્ટ કર્યુ છે કે જેટલો સમય જોઇએ તેટલો ફાળવો જવાબ આપવા તૈયાર છીએ.

સંસદમાં ચર્ચા માટે સહમતિ બનાવો- અમિત શાહ

આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા સ્પીકરને પત્ર લખ્યો છે. તેમાં કહ્યું છે કે વિપક્ષ સાથે વાત કરો અને ચર્ચા કરવા માટે સહમતિ બનાવે. લોકતંત્રમાં ચર્ચા અને સંવાદથી જ સમાધાન શક્ય છે. પત્રમાં એમ પણ લખ્યું છે કે સમય નક્કી કરો..અને કલાકો ફાળવો. તે નક્કી સમયે હાજર રહીને વિપક્ષના દરેક સવાલનો જવાબ આપીશ. વિદ્યાર્થી આંદોલન અંગે સરકાર ચર્ચા કરવા તૈયાર છે. વિપક્ષ સાથે વાત કરીને સમય નક્કી કરો.  

https://twitter.com/ANI/status/2087469626745614509

દિવસો અને કલાકો ફાળવો, પરસ્પર સહમતિ બનાવો- અમિત શાહ 

હું એ પણ નિર્દેશ કરવા માંગુ છું કે, વિપક્ષની વિનંતી પહેલાં પણ, સંસદના વર્તમાન સત્ર દરમિયાન 'જાહેર પરીક્ષાઓ (અન્યાયી માધ્યમોનું નિવારણ) સુધારા બિલ, 2026' પર ચર્ચા કરવામાં આવી હતી; છતાં, તે સમયે ગૃહમાં NEET પરીક્ષા અંગે વિરોધ પક્ષના કોઈપણ સભ્યએ કોઈ મંતવ્યો વ્યક્ત કર્યા ન હતા. તેમ છતાં, સરકાર આ મુદ્દા પર ફરીથી ચર્ચા કરવા તૈયાર છે. હું તમને વિનંતી કરું છું કે તમે વિપક્ષ સાથે વાત કરો અને પરસ્પર સંમતિના આધારે  તમને યોગ્ય લાગે તેટલો સમય ફાળવો - પછી ભલે તે દિવસો હોય કે કલાકો. . હું આ મુદ્દા પર ચર્ચામાં ભાગ લેવા માટે નિર્ધારિત સમય દરમિયાન ગૃહમાં હાજર રહેવાનો ઇરાદો રાખું છું અને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું.


આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ