શામ્ભવી પાઠકના દાદી ગ્વાલિયરમાં રહે છે. અકસ્માતના થોડા સમય પહેલા શામ્ભવીએ તેની દાદીને સંદેશ મોકલ્યો હતો.

શામ્ભવી પાઠકનું વિમાન દુર્ઘટનામાં મોત

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને લઈ જતું ચાર્ટર્ડ વિમાન મુંબઈથી બારામતી જઈ રહ્યું હતું, તે ક્રેશ થયું. પાયલટ શામ્ભવી પાઠક અને તેના બધા મુસાફરોના મૃત્યુ થયા હતા. 28 જાન્યુઆરી, 2026 ના રોજ સવારે લગભગ 8:45 વાગ્યે આ અકસ્માત થયો, કારણ કે વિમાન બારામતી હવાઈ પટ્ટી પર ઉતરવાનું હતું. વિમાને કાબુ ગુમાવ્યો અને ખેતરમાં ક્રેશ થયું. શામ્ભવી પાઠક વિમાનના પ્રથમ અધિકારી હતા. જે કમાન્ડમાં હતા.

 

બાળપણથી જ વિમાન ઉડાવવાનો શોખ

શામ્ભવી પાઠક મૂળ ગ્વાલિયરની હતી. તેણીએ તેનું બાળપણ ગ્વાલિયરની એરફોર્સ કોલોનીમાં વિતાવ્યું. તેના પિતા ભારતીય વાયુસેનામાં અધિકારી હતા. જેના કારણે તેનામાં બાળપણથી જ ફાઇટર પ્લેન અને ઉડાનનો ઊંડો શોખ જાગ્યો. શાંભવીએ 2016 થી 2018 સુધી ગ્વાલિયરની એરફોર્સ નંબર વન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તે મધ્યપ્રદેશ ફ્લાઇંગ ક્લબની સભ્ય પણ હતી, જ્યાંથી તેણે ઉડાન તાલીમ શરૂ કરી હતી.

દાદીને મેસેજ કર્યા બાદ ફ્લાઇટમાં ભરી ઉડાન

તેના દાદી, મીરા પાઠક, હાલમાં ગ્વાલિયરમાં રહે છે. અકસ્માતના થોડા કલાકો પહેલા, બુધવારે સવારે 6:36 વાગ્યે, શાંભવીએ મુંબઈથી તેની દાદીને વોટ્સએપ સંદેશ મોકલ્યો, "ગુડ મોર્નિંગ, દાદા." તેના પછી તરત જ, તે ફ્લાઇટમાં ચઢી ગઈ અને ઉડાન ભરી. શામ્ભવી દાદીને 'દાદા' કહીને સંબોધતીન હતી. કાદી મીરા પાઠકે સમજાવ્યું કે ગ્વાલિયરમાં શાંભવીનું ઘર હજુ પણ ફાઇટર પ્લેન મોડેલો સાથે રમતા બાળપણના ફોટાથી ભરેલું છે. પરિવારનું સંપૂર્ણ ધ્યાન ઉડ્ડયન પર હતું, અને શાંભવીએ તેને પોતાની કારકિર્દી બનાવી.

આ પણ વાંચોઃ Chinaના 'અહંકાર'ને તોડવા માટે વિદેશ મંત્રી Jaishankar અમેરિકાની મુલાકાતે, Marco Rubio સાથે મુખ્ય ત્રણ મુદ્દાઓ પર થશે ચર્ચા

  • Follow us on: