એનડીએ દ્વારા જાહેર કરવામાં આવેલા બંધના એલાનને પગલે બિહારમાં વિવિધ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેનો મોરચો મહિલા કાર્યકરોએ સંભાળ્યો છે. દાનાપુરમાં તો વિરોધ પ્રદર્શનમાં ટાયરો સળગાવવામાં આવ્યા.



માતાનું સન્માન કરવુ ભારતની સંસ્કૃતિ- રવિશંકર પ્રસાદ 

પટનામાં બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે આ અંગે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે તેમણે અત્યાર સુધી માફી માંગી નથી.હું રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને કહેવા માંગુ છું કે જો અમારી પાર્ટીના કોઈએ આવી ભાષાનો ઉપયોગ કર્યો હોત, તો અમે તેમની સામે કડક કાર્યવાહી કરી હોત... અમે તેની નિંદા કરીએ છીએ. માતાનું સન્માન કરવું એ ભારતની સંસ્કૃતિ છે. બિહારના લોકો રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને યોગ્ય જવાબ આપશે

રાહુલ-તેજસ્વીએ માફી માંગવી જોઈએ: દિલીપ જયસ્વાલ

બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે કહ્યું કે થોડા દિવસો પહેલા ભારતીય ગઠબંધનના સ્ટેજ પરથી વડા પ્રધાન મોદીની સ્વર્ગસ્થ માતા વિશે અપશબ્દો કહેવામાં આવ્યા હતા. આજે, NDA વડા પ્રધાન મોદીની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી સામે પાંચ કલાકનો બિહાર બંધ પાળી રહ્યું છે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે દેશની માફી માંગવી જોઈએ.

ઠેર ઠેર વિરોધ 

સમગ્ર બિહારમાં બિહાર બંધનું એલાન અપાયુ છે.  ભાજપ મહિલા મોરચાના અધિકારીઓ આ બંધનો મોરચો સંભાળી રહી છે.  વિવિધ સ્થળોએ રસ્તાઓ બ્લોક કરવામાં આવી રહ્યા છે. ભાજપના કાર્યકરો રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.


PM મોદીએ શું કહ્યું હતું ? 
પીએમ મોદીએ પોતાના માતા માટે બોલાયેલા અપશબ્દોને લઇને કહ્યુ હતુ કે, આ અપમાન મારી માતા જ નહી પણ બિહારની તમામ મહિલા વર્ગનું અપમાન છે. માતાની વાત કરતા પીએમ મોદી ભાવુક થતા જોવા મળ્યા હતા. તેમની માતાનો સંઘર્ષ અને બાળપણના દિવસો પીએમ મોદીએ યાદ કર્યા હતા.


શું હતો અપશબ્દો કહેવાનો મામલો ?

મહત્વનું છે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સહિત INDI ગઠબંધનના નેતાઓ મતદાર યાદી સુધારણા અભિયાનના મુદ્દા પર મતદાર અધિકાર યાત્રા કાઢી રહ્યા છે. આ યાત્રા દરભંગા પહોંચી હતી. આ દરમિયાન, જાલે વિધાનસભા ક્ષેત્રમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે એક સ્થાનિક નેતા દ્વારા એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે આ સ્ટેજ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે અપશબ્દો કહેવામાં આવ્યા હતા.
 
  • Follow us on: