જનશક્તિ જનતા દળના પ્રમુખ અને મહુઆ બેઠકના ઉમેદવાર તેજ પ્રતાપ યાદવે મોટું નિવેદન આપ્યું છે. સોમવારે તેઓએ વાતચીતમાં કહ્યું કે અમારી પાર્ટી 10-15 સીટ જીતશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રાજ્યમાં કોની સરકાર બનશે. ત્યારે તેમણે કહ્યું કે જોઇએ છીએ શું થાય છે. 14 નવેમ્બરે ખબર પડી જશે. પરિણામ 14 તારીખે જ આવશે.

કેટલી બેઠક જીતશે તેજ પ્રતાપની પાર્ટી ? 


મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી અધિકારીઓને ધમકી આપવામાં આવી રહી હોવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે આ અંગે હું કંઈ કહી શકતા નથી કારણ કે મારા પાસે આ અંગે કોઈ માહિતી નથી. તેમને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની ઉંમર અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી વિશે પૂછવામાં આવ્યું હતું, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમની ઉંમર ખોટી છે. તેજ પ્રતાપ યાદવે જવાબ આપ્યો, "જો ઉંમર ખોટી છે, તો તેમણે (સમ્રાટ ચૌધરી) તેને સુધારવી જોઈએ. તેમાં શું વાંધો છે?" તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે તેમની સરકાર બની રહી છે. આના પર તેમણે કહ્યું, "તે સારી વાત છે..


સીસીટીવી બંધ કરી દે છે 


મહત્વનું છે કે તેજ પ્રતાપ યાદવના નાના ભાઈ તેજસ્વી યાદવે બિહારના અધિકારીઓ પર તેમને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તેજસ્વીએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કા પછી NDA માં ખૂબ જ નિરાશાજનક વાતાવરણ છે. હારના ડરથી, ગૃહમંત્રી અધિકારીઓને રૂબરૂ અને ફોન પર ધમકી આપી રહ્યા છે. તેઓ મોડી રાત્રે અધિકારીઓને ફોન કરે છે, જ્યાં તેઓ રહે છે ત્યાંના CCTV કેમેરા બંધ કરી દે છે.

તેજસ્વીએ લગાવ્યો આરોપ 


તેજસ્વીના મતે ભ્રષ્ટ અધિકારીઓ, જે ભુંજા પાર્ટીના મિત્રો છે અને EDના રડાર હેઠળ છે, તેઓ મુખ્યમંત્રીની જાણ વગર ફોન કરી રહ્યા છે અને અધિકારીઓને મતદાનના દિવસ સુધી પોલીસ દ્વારા મહાગઠબંધન કાર્યકરોની અટકાયત કરવા અને મજબૂત મહાગઠબંધન-સમર્થિત બૂથને વિક્ષેપિત કરવા સૂચના આપી રહ્યા છે. તેજસ્વીએ હુમલો કરતા કહ્યું કે પરિવર્તન અનિવાર્ય છે, તેથી અધિકારીઓ ફોન કરનારાઓના સ્ક્રીનશોટ પણ મોકલી રહ્યા છે. તેજસ્વીએ પોતાની X-પોસ્ટમાં કહ્યું, બે ગુજરાતીઓ કોઈ પણ રીતે બિહાર પર કબજો કરવા માંગે છે.
  • Follow us on: