બિહાર હાલમાં હાઈ અલર્ટ પર છે. ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓની ઘુસણખોરીના કારણે પોલીસ મુખ્યાલયે રાજ્યમાં હાઈ અલર્ટ જાહેર કર્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના ત્રણ આતંકવાદીઓ નેપાળના માર્ગે બિહારમાં પ્રવેશ્યા છે. આ ત્રણે આતંકીઓના નામ હસનૈન અલી, આદિલ હુસેન અને મોહમ્મદ ઉસ્માન છે. હસનૈન અલી રાવલપિન્ડીનો, આદિલ હુસેન ઉમરકોટનો અને મોહમ્મદ ઉસ્માન બહાવલપુરનો રહેવાસી છે.

બિહારમાં ઘુસ્યા જૈશના ત્રણ આતંકી
જૈશ એ મોહમ્મદના આ ત્રણે આતંકીઓ નેપાળના માર્ગે બિહારમાં પ્રવેશ્યા છે. આ ત્રણેના પાસપોર્ટ સાથે સંબંધિત માહિતી સીમાવર્તી જિલ્લાઓ સાથે શેર કરવામાં આવી છે. બિહારમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આતંકી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી રહી છે. આ દરમિયાન આતંકીઓના ઘુસણખોરીના સમાચારથી હડકંપ મચી ગયો છે.

મોટી આતંકી સાજિશ આચરવાનો ઇરાદો હોવાની આશંકા
માહિતી અનુસાર, આ ત્રણે આતંકી ઓગસ્ટના બીજા સપ્તાહમાં કાઠમંડુ પહોંચી ગયા હતા. ત્યાંથી તેઓ ગયા સપ્તાહે બિહારમાં ઘુસ્યા છે. આશંકા છે કે આ આતંકી દેશના કોઈ હિસ્સામાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની સાજિશ ઘડી રહ્યા છે.PHQ એ તમામ જિલ્લાઓના ગુપ્તચર તંત્રને સક્રિય કરીને માહિતી એકત્ર કરવા અને શંકાસ્પદ આતંકીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

  • Follow us on: