બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએનો વિજય થયો છે. ત્યારે આ જીત બાદ બીજેપી દ્વારા મોટું પગલુ ભરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ભારતીય ઓફિસર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આર કે સિંહને પાર્ટીમાંથી હાંકી કઢાયા છે. મળતી માહિતી મુજબ આરા લોકોસભા સીટ પૂ્ર્વ સાંસદ આર કે સિંહ પર પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામે હોવાનો આરોપ છે.


પાર્ટીએ કારણદર્શક નોટિસ જાહેર કરી

ભાજપ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર પત્રમાં જણાવાયું છે કે તમારી પ્રવૃત્તિઓ પક્ષ વિરુદ્ધ છે. આ શિસ્તના દાયરામાં આવે છે. પક્ષે આને ગંભીરતાથી લીધું છે. આનાથી પક્ષને નુકસાન થયું છે. પત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે તમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે અને તમને પક્ષમાંથી કેમ હાંકી કાઢવા ન જોઈએ તે સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. કૃપા કરીને આ પત્ર મળ્યાના એક અઠવાડિયાની અંદર તમારી સ્થિતિ સ્પષ્ટ કરો.

આરકે સિંહને શા માટે સજા કરવામાં આવી?

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને આરાના ભૂતપૂર્વ સાંસદ, આરકે સિંહે મતદારોને અપીલ કરી હતી કે તેઓ તેમના પોતાના રાષ્ટ્રીય લોકશાહી જોડાણના કેટલાક ઉમેદવારોને મત ન આપે. સિંહે સોશિયલ મીડિયા પર એનડીએ ઉમેદવારોને નિશાન બનાવતો એક વીડિયો જાહેર કર્યો. વીડિયોમાં તેમણે કહ્યું  હતું કે  હું તમને વિનંતી કરું છું કે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા અથવા ભ્રષ્ટ વ્યક્તિઓને મત ન આપો, પછી ભલે તે તમારી જાતિ કે સમુદાયના હોય. જે લોકો આવા વ્યક્તિઓને મત આપે છે તેઓએ ડૂબી જવું જોઈએ. જો આપણે ગુનેગારોને ચૂંટીશું, તો ગુના અને ભ્રષ્ટાચાર બિહારને ત્રાસ આપતા રહેશે, અને વિકાસનું સ્વપ્ન ક્યારેય સાકાર થશે નહીં. બિહારનો ક્યારેય વિકાસ થશે નહીં.

ડે. સીએમ સમ્રાટ ચૌધરી પર પણ કર્યા હતા પ્રહારો 

વાયરલ થયેલા વીડિયોમાં રાજ્યના વર્તમાન નાયબ મુખ્યમંત્રી અને તારાપુરથી NDA ઉમેદવાર સમ્રાટ ચૌધરી પર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે તેમની ઉંમરમાં છેડછાડ કરીને જામીન પર બહાર હોવાનો આરોપ એક પાર્ટીએ ખુલ્લેઆમ લગાવ્યો હતો જેનો જવાબ આજ સુધી આપ્યા શક્યા નથી. વળી જનસુરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોરના આરોપો પર તેઓએ પોતાની પાર્ટીના નેતાઓને ઘેર્યા હતા. તેમણે કહ્યું હતું કે પ્રશાંત કિશોરે જેની પર આરોપ લગાવ્યા છે તેઓ સ્પષ્ટ રીતે પોતાનો જવાબ આપે અને રાજીનામુ આપે.

  • Follow us on: