દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટથી વ્યાપક ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે બે થી ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. મૃત્યુઆંક વધી શકે છે. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો. NIA ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડને સાંજે 6:55 વાગ્યે વિસ્ફોટની માહિતી મળી હતી. દિલ્હી પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે. 8 વાહનો બળીને ખાખ થઇ ગયા છે. એનઓસજીની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. 


આ ઘટનામાં એક વ્યક્તિનું મોત

લાલ કિલ્લા વિસ્ફોટ કેસ અંગે પોલીસ દ્વારા એક મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. આ વ્યક્તિની ઓળખ થઈ નથી. વિસ્ફોટ સમયે તે કારની ખૂબ નજીક ઉભો હતો, જેના કારણે તેણે ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો.

શક્તિશાળી વિસ્ફોટ

પોલીસ વિસ્તારમાં સંદિગ્ધોની શોધખોળ કરી રહી છે અને ફોરેન્સિક નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હોવાનું જાણવા મળ્યું છે કે કારના ટુકડા થઈ ગયા હતા અને ધુમાડો વ્યાપકપણે ફેલાઈ ગયો હતો. ઘણા લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.

દુકાનોના કાચ તૂટી ગયા

વિસ્ફોટના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, "વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી નજીકના ઘરો હચમચી ગયા. વધુમાં, ઘટનાસ્થળની નજીકની દુકાનોના કાચ તૂટી ગયા. લોકો ગભરાઈ ગયા. અમે કંઈ સમજી શકીએ તે પહેલાં, વિસ્ફોટ થયેલી કાર અને તેના માર્ગમાં રહેલી કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ."

  • Follow us on: