અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત અને યુકેએ 24 જુલાઈ 2025ના રોજ વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
બજારમાં ઉત્કૃષ્ટ દેખાવની અપેક્ષા
CETA 2030 સુધીમાં ભારત અને યુકે વચ્ચેના વર્તમાન $56 બિલિયનના વેપારને બમણો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ભારતે ચોકલેટ, બિસ્કિટ અને સૌંદર્ય ઉત્પાદનો સહિત અનેક બ્રિટિશ ગ્રાહક ઉત્પાદનો માટે તેનું બજાર ખુલ્લું મૂક્યું છે. બદલામાં, ભારતીય નિકાસકારો કાપડ, ફૂટવેર, રત્નો અને ઘરેણાં, રમતગમતના સામાન અને રમકડાં જેવા ઉત્પાદનો માટે યુકે બજારમાં વધુ સારી પહોંચ મેળવવાની અપેક્ષા રાખે છે.
ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન પર હસ્તાક્ષર
આ કરાર હેઠળ, 99% ભારતીય ઉત્પાદનો કોઈપણ ડ્યુટી વિના યુકેમાં નિકાસ કરી શકાશે. જ્યારે યુકેથી આવતી કાર અને વ્હિસ્કી પર ઓછી ડ્યુટી લાગશે. અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે આ કરાર એપ્રિલમાં અમલમાં આવશે. બંને દેશોએ ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન પર પણ હસ્તાક્ષર કર્યા છે. જે સુનિશ્ચિત કરે છે કે કામચલાઉ કામદારો કોઈપણ દેશમાં બે વાર સામાજિક કર ચૂકવશે નહીં. અધિકારીએ સમજાવ્યું કે બંને કરારો એકસાથે લાગૂ કરી શકાય છે.
આ કરારની વેપાર પર અસર
ઓટોમોબાઇલ પર, ભારત ક્વોટા-આધારિત સિસ્ટમ હેઠળ પાંચ વર્ષમાં ટેરિફ ધીમે ધીમે 110 ટકાથી ઘટાડીને 10 ટકા કરશે. બદલામાં, ભારતીય ઉત્પાદકો ક્વોટા ફ્રેમવર્ક હેઠળ ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનો માટે યુકેમાં બજાર ઍક્સેસ મેળવશે. આ કરાર વિશ્વની પાંચમી અને છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે અને એકવાર અમલમાં આવ્યા પછી વેપાર પ્રવાહને ફરીથી આકાર આપવાની અપેક્ષા છે.
આ પણ વાંચોઃ Visakhapatnam બનશે દેશનું પ્રથમ AI ડેટા સિટી, દરિયાકાંઠાનું સ્થાન ટેકનોલોજીને આપશે પ્રોત્સાહન
