કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી આ ચારધામ યાત્રા હિંદુ ધર્મમાં પવિત્ર મનાય છે. ભારત છેલ્લા કેટલાક દિવસોથી કુદરતી હોનારતના સપડાયું છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તરીય ભાગમાં વરસાદ, ભૂસ્ખલન, વાવાઝોડું અને વાદળફાટવાની ઘટનાથી ભારે તારાજી સર્જાઈ હતી. કુદરતી આફતના કારણે ઉત્તરાખંડની ચારધામ યાત્રા પણ પ્રભાવિત થઈ હતી. ઉત્તરાખંડમાં શિયાળાની ઋતુ દરમિયાન ચાર પવિત્ર તીર્થધામના દરવાજા બંધ કરવાની તારીખો નક્કી કરવામાં આવી છે.


ચારેય પવિત્ર તીર્થસ્થાનોના દરવાજા ક્યારે બંધ થશે?

  • આ વર્ષે ગંગોત્રીના દરવાજા પહેલા એટલે કે 22 ઓક્ટોબરે બંધ થશે. સમય પણ નક્કી કરવામાં આવ્યો છે.
  •  ગંગોત્રીના દરવાજા સવારે 11:36 વાગ્યે બંધ થશે. બીજા દિવસે કેદારનાથ અને યમુનોત્રીના દરવાજા બંધ થશે.
  • કેદારનાથ ધામના દરવાજા 23 ઓક્ટોબરે સવારે 8:30 વાગ્યે સંપૂર્ણ વિધિઓ અને પ્રાર્થના સાથે બંધ થશે.
  •  યમુનોત્રી ધામના દરવાજા પણ તે જ દિવસે બપોરે 12:30 વાગ્યે બંધ થવાનું નક્કી કરવામાં આવ્યું છે.
  • બાબા બદ્રીનાથ ધામના દરવાજા 25 નવેમ્બરના રોજ બપોરે 2:56 વાગ્યે ધાર્મિક વિધિઓ અને પ્રાચીન પરંપરાઓનું પાલન કરીને બંધ કરવામાં આવશે.

ચારધામના કપાટ થશે બંધ

આ ઉપરાંત, બીજા કેદારનાથ, મદમહેશ્વરના દરવાજા, 18 નવેમ્બરના રોજ બ્રહ્મ મુહૂર્તે શિયાળાની ઋતુ માટે બંધ થશે, અને ત્રીજા કેદારનાથ, તુંગનાથના દરવાજા, 6 નવેમ્બરના રોજ બંધ થશે. તેથી, જો તમે હજુ સુધી તમારી ચાર ધામ યાત્રા પૂર્ણ કરી નથી અથવા કરવા માંગો છો, તો સમય ઓછો છે. તેથી, ભક્તો દરવાજા બંધ થાય તે પહેલાં તૈયારી કરી શકે છે.

ઉત્તરાખંડના ચાર ધામ હિમાલયના ઊંચા પર્વતોમાં સ્થિત છે. જો કે, શિયાળા દરમિયાન, ભારે હિમવર્ષા અને અતિશય ઠંડી પડે છે, જેના કારણે શિયાળાની ઋતુ દરમિયાન આ ચાર ધામ બંધ રહે છે. આવતા વર્ષે ચાર પવિત્ર તીર્થસ્થાનોના દરવાજા ફરીથી યોગ્ય વિધિઓ અને શુભ સમય સાથે ખોલવામાં આવશે. આ તીર્થસ્થાનો છ મહિના માટે ખુલ્લા છે. લાખો ભક્તો દર્શન માટે ચાર પવિત્ર તીર્થસ્થાનોની મુલાકાત લે છે.


  • Follow us on: