છત્તીસગઢના ગારિયાબંદમાં એક મોટા ઓપરેશનમાં, સુરક્ષા દળોએ સીસી સભ્ય મનોજ ઉર્ફે બાલકૃષ્ણ સહિત 10 નક્સલીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. સુરક્ષા દળો માટે આ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.


એન્કાઉન્ટર હજુ પણ ચાલુ

મળી રહેલા મહત્વના સમાચાર મુજબ સુરક્ષા દળોએ શોભા પોલીસ સ્ટેશન અને મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં આ ઓપરેશન હાથ ધર્યું છે. જોકે, એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.

કુખ્યાત નક્સલી મનોજ પણ ઠાર

સીસી સભ્ય મોડેમ બાલકૃષ્ણ ઉર્ફે બાલન્ના ઉર્ફે રામચંદ્ર ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે ગોલકોંડા રાજેન્દ્ર ઉર્ફે ચિન્ની ઉર્ફે મનોજ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હોવાનું જાણવા મળે છે અને તે 58 વર્ષનો છે. બાલકૃષ્ણ તેલંગાણાના વારંગલ જિલ્લાનો રહેવાસી હતો. તેના પર 1 કરોડનું ઇનામ પણ જાહેર કરાયું હતું

  • Follow us on: