અત્યારે શરદી ઉધરસના કેસ વધી ગયા છે. મોટા ભાગના દવાખાનાઓમાં અત્યારે ભીડ જોવા મળી રહી છે. કફ અને ઉધરસના કેસમાં વધારો થયો છે ખાસ કરીને બાળકોમાં. પરિણામે કફ સિરપ અને અન્ય દવાઓ ડોક્ટર દ્વારા લખી આપવામાં આવે છે. પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મોતનો મામલો કફ સિરપ સાથે જોડવામાં આવ્યો છે.એમપીના છિંદવાડામાં મરનારની સંખ્યા 9 થઇ છે. રાજસ્થાનમાં પણ 2 બાળકોના મોત થયા છે આમ કૂલ 11 લોકોના મોત થતા સરકારની નોડલ નેશનલ રોગ નિયંત્રણ કેન્દ્રએ તપાસ તેજ કરી છે.


પ્રાથમિક તપાસ શરૂ

છિંદવાડાના પારસિયા વિસ્તારમાં વાયરલ ફીવરથી પીડિત બાળકોની હાલત સતત બગડી રહી છે. જિલ્લામાં વધુ ત્રણ બાળકોના મોત થયા છે, જેના કારણે મૃત્યુઆંક નવ થયો છે. પારસિયાના એસડીએમ શુભમ યાદવે જણાવ્યું હતું કે, ગઈકાલે મોડી રાત સુધીમાં નવ લોકોના મોત નોંધાયા છે. અમે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. અમારી પાસે શરદી, તાવ અને ફ્લૂથી પ્રભાવિત 1,420 બાળકોની યાદી છે. અમે એક પ્રોટોકોલ સ્થાપિત કર્યો છે કે જો કોઈ બાળક બે દિવસથી વધુ સમય સુધી બીમાર રહે છે, તો તેમને છ કલાક માટે સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે. જો તેમની હાલત વધુ ખરાબ થાય છે, તો તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. એકવાર તેઓ સ્વસ્થ થઈ જાય, પછી તેમને ઘરે મોકલી દેવામાં આવે છે અને આશા કાર્યકરો દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.

મોત થયેલા બાળકોએ પીધી હતી કફ સિરપ !

એસડીએમએ જણાવ્યું હતું કે પાણી અને મચ્છર પરીક્ષણો નોર્મલ આવ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં એક સેમ્પલ મોકલવામાં આવ્યો હતો, જે નોર્મલ છે. પાણીના નમૂનાઓ પરીક્ષણ માટે CSIR-NEERI ને મોકલવામાં આવ્યા છે, અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. અત્યાર સુધીમાં નોંધાયેલા નવ મૃત્યુમાંથી પાંચ બાળકો કોલ્ડ્રિફ કફ સિરપ લેવાનો ઇતિહાસ ધરાવે છે અને એક બાળકે નેક્સ્ટ્રો-ડીએસ સીરપ લીધી હતી.. બધા ખાનગી ડોકટરોને સાવચેતી રાખવા અને કોઈપણ વાયરલ દર્દીઓને સીધા સિવિલ હોસ્પિટલમાં મોકલવાની સૂચના આપવામાં આવી છે.

માતા પિતા અને ડોક્ટર્સ રહે સતર્ક 

મળતી માહિતી મુજબ રાજસ્થાનના ભરતપુરમાં સીરપ પીધા બાગ 2 વર્ષના બાળકનું મોત થયુ. સીકર જિલ્લામાં 5 વર્ષીય બાળકનું મોત થયું હતું. બંને મામલામાં સિરપનું સેવન કરવાથી કિડની ફેલ્યોરનો પ્રમુખ કારણ માનવામાં આવી રહ્યું છે.

આવી ગંભીર ઘટનાને પગલે એમપી અને રાજસ્થાનની એ હોસ્પિટલ અને અન્ય સ્થળોએથી પાણી અને કિટનાશક દવાઓ તથા સિરપના નમૂના લેવાયા છે. હાલ તેની તપાસ ચાલી રહી છે. પરંતુ સ્વાસ્થ્ય વિભાગએ ડોક્ટર, મેડિકલ સંચાલકો તથા માતા પિતાને સતર્ક રહેવાની સલાહ આપી રહ્યા છે.


  • Follow us on: