રાજસ્થાનના જેસલમેરમાં બસ અગ્નિકાંડમાં બસને મોડિફાઈ કરનારી કંપનીના માલિક મનીષ જૈનની જેસલમેર પોલીસે ધરપકડ કરી લીધી છે. થોડા દિવસ પહેલા જ થયેલા અગ્નિકાંડે દેશભરમાં તમામ લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક ખાનગી એસી સ્લીપર બસમાં આગ લાગવાના કારણે 21 લોકોના મોત થયા હતા, જેમાં ત્રણ બાળકો પણ સામેલ હતા.
બસમાં 5 દિવસ પહેલા જ નવું એસી યૂનિટ લગાવવામાં આવ્યું હતું
આ દુર્ઘટના 14 ઓક્ટોબરની રાત્રે થૈયત ગામની પાસે થઈ હતી, જે જેસલમેર શહેરથી લગભગ 10 કિલોમીટર દૂર છે. બસમાં કૂલ 57 મુસાફરો સવાર હતા, જેમાં ઘણા પરિવાર અને બાળકો પણ સામેલ હતા. જાણકારી મુજબ બસમાં 5 દિવસ પહેલા જ નવું એસી યૂનિટ લગાવવામાં આવ્યું હતું. મોડી રાત અચાનક જ બસમાં આગ લાગી અને જોતજોતામાં તો ભીષણ આગ આખી બસમાં પ્રસરી ગઈ, ત્યારે કેટલાક મુસાફરો બસમાંથી બહાર નીકળવા માટે સફળ રહ્યા તો કેટલાક લોકો બસમાં જ બળીને મૃત્યુ પામ્યા.













