મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક સગીર દુષ્કર્મ પીડિતાને આરોપીના ઘરે મોકલવાના કેસમાં છતરપુર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જુઝારનગર પોલીસે પન્નાના મહિલા બાળ વિકાસ અધિકારી, બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ, સમિતિના 5 સભ્ય, વન સ્ટોપ સેન્ટરના 3 કર્મચારી અને એક અન્ય મહિલાની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જો કે કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.


બેજવાબદાર લોકો સામે કેસ દાખલ થયો

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સગીરા સાથે બળાત્કારના કેસમાં બાળ કલ્યાણ સમિતિએ નિયમો નેવે મુકીને નિર્ણય લીધા હતા. સમિતિએ બળાત્કાર પીડિતાને આરોપીના જ ઘરે મોકલી દીધી હતી. આ ખોટો નિર્ણયના કારણે સગીરા બીજી વખત બળાત્કારનો શિકાર થઈ હતી. ત્યારબાદ છતરપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને બીજી વખત જેલમાં મોકલી દીધો. બાળ કલ્યાણ સમિતિ સહિત બેજવાબદાર લોકો સામે કેસ દાખલ થયો છે.

શું હતો સમગ્ર મામલો?

પન્ના જિલ્લાના એક ગામમાં રહેતી 15 વર્ષની સગીરા 16 જાન્યુઆરી 2025એ શાળાએ જવા માટે ઘરેથી નીકળી અને પરત ઘરે ફરી નહીં. ત્યારબાદ પરિવારજનોએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદ નોંધીને 17 ફેબ્રુઆરી 2025એ ગુરૂગ્રામ, હરિયાણાથી તેને શોધી કાઢી અને સગીરાને ભગાડી જનારા આરોપી વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેને જેલમાં ધકેલી દીધો. સગીરાને બાળ કલ્યાણ સમિતિ પન્ના સમક્ષ હાજર કરી. બાળ કલ્યાણ સમિતિએ અસ્થાયી આશ્રય માટે વન સ્ટોપ સેન્ટર પન્ના મોકલી દીધી. તેની વચ્ચે બાળ કલ્યાણ સમિતિએ 29 માર્ચ 2025એ નિયમ વિરૂદ્ધ સગીરાને આરોપીના ઘરે મોકલી દીધી.


  • Follow us on: