પુણેના વેપારી કેતન અગ્રવાલની હત્યા કેસમાં મોટો ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. લોનાવાલા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરીને વધુ એક આરોપીની ધરપકડ કરી છે. કેતન અગ્રવાલની પ્રેમિકા સિયા ગોયલ અને મુખ્ય આરોપી ચેતન ચૌધરીના સાથીદાર યુવકની આ કેસમાં ત્રીજા આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કરાયો

હત્યાના કાવતરા અંગે અગાઉથી જ પૂરેપૂરી જાણકારી હોવાનો દાવો

મળતી વિગતો મુજબ આ આરોપીનું નામ રિતેશ છે અને હાલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રિતેશને કેતન અગ્રવાલની હત્યાના કાવતરા અંગે અગાઉથી જ પૂરેપૂરી જાણકારી હતી. ચેતન અને સિયાએ પોતાના આ ક્લાસમેટ સાથી સાથે મળીને લોહાણા કિલ્લા પર હત્યા અંજામ આપવાની સમગ્ર યોજના ઘડી હતી. ચેતન અને સિયાએ રિતેશને સાથે કિલ્લા પર આવવા કહ્યું હતું, પરંતુ તેણે જવાની ના પાડી દીધી હતી.

સિયા પણ તેના સંપર્કમાં હતી. 

ગત 18 જૂન 2026ના રોજ હત્યા અંજામ આપ્યા બાદ પણ આરોપી ચેતને રિતેશ સાથે મુલાકાત કરી હતી અને સિયા પણ તેના સંપર્કમાં હતી. પોલીસે ચેતનના મોબાઈલ ડેટાના આધારે રિતેશને ટ્રેસ કરીને પકડી પાડ્યો છે. મે મહિનાના અંતિમ સપ્તાહથી જ આ ત્રણેય વચ્ચે સંપર્ક હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે કોલ ડિટેલ્સ અને ડિજિટલ પુરાવા આધારે રિતેશની કાવતરામાં મુખ્ય ભૂમિકા અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે. 


આ પણ વાંચો  :    Surat : રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષની બાળકીનું મોત, તપાસનો રિપોર્ટ આવતા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક