દેશભરમાં ચકચાર મચાવનાર રાજા રઘુવંશી કેસમાં રોજ નવા નવા ખુલાસાઓ થાય છે. ત્યારે હવે રાજાના પરિવારે પોલીસ સામે નવી માગ કરી છે. તેઓ ઇચ્છે છે કે, સોનમ અને રાજ કુશવાહાનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે. શિલોંગ પોલીસે તમામ પુરાવા એક્ત્ર કર્યા છે. અને આરોપીઓની રિમાંડ પણ લીધી છે. હાલ પાંચ આરોપી જેલમાં છે. હવે આ મામલે ચાર્જશીટ રજૂ કર્યા બાદ, કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
નાર્કો ટેસ્ટની માગ













