લાલ કિલ્લા બોમ્બ વિસ્ફોટના આરોપી ડો. મોહમ્મદ ઉમર નબીના મનમાં વિસ્ફોટથી 24 કલાક સુધી શું શું થયુ, તેની સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. પરંતુ એ સ્પષ્ટ છે કે તે 9 નવેમ્બરની રાત્રે 11.30 વાગ્યાથી પછીના દિવસ એટલે કે 10 નવેમ્બરે લાલ કિલ્લા સામે બોમ્બ વિસ્ફોટ કરાવવા સુધી તે સતત ફરતો રહ્યો. તે ક્યાંય અટક્યો નહીં. તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે કે તે બોમ્બ સ્થળ શોધી રહ્યો હતો કે કોઈ VIP. ઐતિહાસિક ઇમારતો અને ભીડભાડવાળા બજારો તેના નિશાના પર હતા. તે વડાપ્રધાનના નિવાસસ્થાન નજીક પણ ગયો.તેઓ પ્રધાનમંત્રી નિવાસસ્થાને પણ ગયા હતા. તેમણે કર્તવ્ય પથની પણ મુલાકાત લીધી હતી. મતલબ કે, તેઓ આખી દિલ્હીમાં ફર્યા હતા.


ડૉ. ઉમરના બે સાથી હજુ પણ ફરાર

સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર લાલકિલ્લા બોમ્બ વિસ્ફોટ કરનાર આરોપી ઉમર નબીના બે સાથીદારો હજુ પણ ફરાર છે. શક્ય છે કે તેઓ દિલ્હી-એનસીઆરમાં ક્યાંક છુપાયા હોય. તપાસમાં લાગેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આરોપી 9 નવેમ્બરની રાત્રે 11.30 વાગ્યે કેમ્પુર અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના જોડાણ બિંદુ એટલે રિવાસન ટોલ નજીકથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ચડ્યો હતો. અહીંથી તે ફિરોઝપુર ઝીરકા ગયો. અહીં તે હાઈવે પરથી ઉતર્યો, પરંતુ બહુ આગળ ન ગયો. ત્યારબાદ તે પાછો ફરીદાબાદ માર્ગે બદરપુર પહોંચ્યો. અહીંથી તેણે દિલ્હી પ્રવેશ કર્યો.

આશ્રમ ચોક રહ્યો હતો ઉમરનો મુખ્ય પોઈન્ટ

પ્રથમ રૂટ: આશ્રમ ચોક–ડીએનડી–મયૂર વિહાર–થોડું આગળ નોઇડા તરફ, ત્યારબાદ ફરી આશ્રમ ચોક પર આવી ગયો.

બીજો રૂટ: આશ્રમ ચોક–નવું દિલ્હી–ઇન્ડિયા ગેટ–અકબર રોડ, તુગલક રોડ, આઈએનએ માર્કેટ, ત્યારબાદ અહીંથી રિંગ રોડ મારફતે આશ્રમ ચોક પર પાછો આવ્યો.

ત્રીજો રૂટ: આશ્રમ ચોકથી નવું દિલ્હી, કર્તવ્ય પથ–રાષ્ટ્રપતિ ભવન–ધૌલા કુઆં–પંજાબી બાગ–વજીરપુર–પાછું નવું દિલ્હી. ત્યારબાદ તે કનોટ પ્લેસ માર્ગે લાલકિલ્લા પહોંચ્યો. ત્યાં તે પાર્કિંગમાં રહ્યો.

  • Follow us on: