દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર દોડતી એક ફ્લાઈટમાં સોમવારે એટલે કે 21 જુલાઈના રોજ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટે બહાદુરી અને સમજદારીપૂર્વક ટેકઓફ કરતા પહેલા લગભગ 155 કિલોમીટરની ઝડપે દોડતા વિમાનને રોકી દીધું હતું.
આ પછી ફ્લાઈટમાં બેઠેલા મુસાફરો અને એરપોર્ટ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેકઓફ થયાની થોડીક સેકન્ડમાં જ પાઈલટને ટેકનિકલ ખામી વિશે ખબર પડી ગઈ હતી. આ પછી પાયલોટે ટેકઓફ કરતા પહેલા વિમાનને રોકી દીધું હતું. આ પછી એરપોર્ટ પર તપાસ કર્યા પછી એર ઈન્ડિયાની ફ્લાઇટ 2403 રદ્દ કરવામાં આવી હતી.
ટેકનિકલ ખામીને કારણે બ્રેક લગાવવામાં આવી
સોમવારે દિલ્હીથી કોલકાતા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2403 રનવે પર દોડી રહી હતી. ત્યારબાદ પાઈલટને ફ્લાઈટમાં ટેકનિકલ ખામી લાગી. આને લઈને પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 155 કિમીની ઝડપે દોડતી ફ્લાઈટને રોકી દીધી. સૂત્રોના જણાવ્યા મુજબ પાયલોટે જોખમ લઈને આ પગલું ભર્યું હતું.
એર ઈન્ડિયાએ આ મામલે એક નિવેદન જાહેર કર્યું છે. એર ઈન્ડિયાએ કહ્યું કે ટેક-ઓફ પહેલા જ ટેકનિકલ ખામી મળી આવી હતી. આ પછી પાઈલટ અને કોકપીટ ક્રૂએ તમામ માનક ઓપરેટિંગ પ્રક્રિયાઓનું પાલન કરીને ટેક-ઓફ રદ્દ કરવાનો નિર્ણય લીધો.
તમામ મુસાફરો છે સુરક્ષિત
દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટ રોકાયા બાદ, બધા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ એર ઇન્ડિયાના સ્ટાફ દ્વારા તેમને એરપોર્ટના એક રૂમમાં રાખવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાને કારણે મુસાફરો થોડા સમય માટે ડરી ગયા હતા, પરંતુ હવે બધાની સ્થિતિ સ્થિર છે.