દિલ્હી જંતર મંતર ખાતે છેલ્લા ઘણા સમયથી નીટ પેપરલીક મામલે મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સોનમ વાંગચૂક અનશન કર્યા હતા. સીજેપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થયુ હતું. તેઓની એક જ માગ હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામુ આપે. અને હવે થયુ પણ એવુ જ. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણમંત્રી પદેથી રાજીનામુ આપ્યુ છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ પણ કર્યું છે.
આ લોકશાહીનો વિજય છે- સોનમ વાંગચુક
આ અંગે પર્યાવરણવિદ સોનમ વાંગચુકની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે લોકશાહીનો વિજય થયો છે. સીધી લોકશાહી... સીધી શેરીઓમાંથી. આ શાંતિ, ધીરજ અને દ્રઢતાનો વિજય છે. CJP, રાષ્ટ્રના ઝેન Z ને અભિનંદન. દેશના દરેક ખૂણામાંથી ઉભા થવા બદલ બધા નાગરિકોનો આભાર.
https://twitter.com/Wangchuk66/status/2080952734141088056
આ સત્યનો વિજય છે- મલ્લિકાર્જુન ખડગે
ભારતનો 'વિદ્યાર્થીઓનો પડઘો' આખરે ઘમંડી શક્તિના ઉંબરે પહોંચી ગયો છે. આ આપણા લાખો યુવાનોનો વિજય છે જેમણે શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે દેશભરમાં રસ્તાઓ પર અવાજ ઉઠાવ્યો હતો. આ સત્યનો વિજય છે. આ તે બધા પરિવારોનો વિજય છે જેમણે આ સરકાર ભ્રષ્ટ હોવાને કારણે પોતાનું લોહી, પોતાના બાળકો ગુમાવ્યા છે. આ સંયુક્ત વિપક્ષનો વિજય છે, જેમણે વિદ્યાર્થીઓના હિતમાં સંસદથી રસ્તાઓ સુધી પોતાનો અવાજ ઉઠાવ્યો.
https://twitter.com/kharge/status/2080951285520400623
હજુ આપણી માગણીઓ પુરી થઇ નથી- સીજેપી ચીફ સૌરવ દાસ
કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું કે બપોરે 3:30 વાગ્યે બોલાવવામાં આવ્યા છે. જ્યાં સુધી અમારી બધી માંગણીઓ પૂર્ણ ન થાય અને તેઓ લેખિતમાં ન આપે ત્યાં સુધી અમે ક્યાંય જવાના નથી. આ એક મોટી જીત છે
https://twitter.com/ANI/status/2080950992208822666
શું કહ્યું અભિજિત દિપકેએ?
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પીએમ મોદીને રાજીનામું મોકલી દીધું છે તેવો પત્ર પોસ્ટ કરતાં, CJPના સ્થાપક અભિજીત દિપકે કહે છે, "ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. આ એ વાતનો પુરાવો છે કે જો તમે ડરશો નહીં, જો તમે આ સરકાર સામે ઝૂકશો નહીં, તો તમે કોઈનું પણ રાજીનામું લઈ શકો છો. લોકશાહીમાં ડરશો નહીં.
https://twitter.com/PTI_News/status/2080941502768025981
CJPમાં ખુશીની લહેર
દિલ્હી જંતર મંતર ખાતે સીજેપીના સાથીઓમાં ખુશી જોવા મળી રહીછો. સો કૌઇમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જંતર મંતર ખાતે જશ્નનો માહોલ છે. હાજર હજારો વિદ્યાર્થીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા છે.
https://twitter.com/ANI/status/2080937673603317931
પહેલા દિવસથી જ મે જવાબદારી લીધી હતી- ધર્મેન્દ્ર પ્રધાન
ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામુ પીએમ મોદીને સોંપ્યુ છે. "પહેલા દિવસથી જ મેં આની જવાબદારી લીધી. મેં આ પરિસ્થિતિથી ક્યારેય પીછેહઠ કરી નથી. હું કોઈપણ મેરીટરી વિદ્યાર્થીની સંભાવનાઓને પરીક્ષા માફિયાઓ દ્વારા જોખમમાં ન મૂકવા દેવાનો દૃઢ નિર્ધાર કર્યો હતો. અમે કોઈપણ વિદ્યાર્થી સાથે અન્યાય નહીં કરીએ."
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ કેમ આપ્યું ?
રાજીનામું આપવા પાછળનું કારણ સમજાવતા પ્રધાને કહ્યું, "જંતર-મંતર અને દેશભરમાં જે મૂંઝવણ ઊભી થઈ છે તેનો લાભ રાષ્ટ્ર વિરોધી શક્તિઓ દ્વારા ન લેવો જોઈએ. દેશની એકતા જાળવી રાખવી જોઈએ. દેશના કોઈપણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન ફસાય. બાળકોએ ખંતથી અભ્યાસ કરવો જોઈએ અને પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, મેં મારું રાજીનામું પીએમ નરેન્દ્ર મોદીને મોકલી દીધું છે."
https://twitter.com/dpradhanbjp/status/2080938216505667663
રાજીનામાના અંતે પ્રધાને કહ્યું, "ભગવાન જગન્નાથના આશીર્વાદથી, હું ભવિષ્યમાં ભારત માતા, ઓડિશાના લોકો અને દેશના યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દરેક શક્ય રીતે મારી જાતને સમર્પિત કરીશ."
