FSSAI: લંડનમાં ખરીદેલા ફેન્ટાના એક કેનમાં 63 કેલરી હોય છે. જો કે, જો તમે ભારતમાં એક જ બ્રાન્ડ ખરીદો છો, તો ખાંડનું પ્રમાણ ત્રણ ગણું વધારે હોય છે. વધુમાં તેમાં કૃત્રિમ રંગો હોય છે. યુરોપમાં આ ઉમેરણો ધરાવતા ખાદ્ય ઉત્પાદનોમાં આરોગ્ય ચેતવણી લખવી જરૂરી છે, જ્યારે ભારતમાં કેનની પાછળ ફક્ત નાનકડી વિગતો છાપવામાં આવે છે. ભારત સરકારના સતત આગ્રહ છતાં કે પેકેજિંગના આગળના ભાગમાં ઉત્પાદનના ઘટકો સંબંધિત માહિતી મુખ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવે, ઘણી મોટી વૈશ્વિક કંપનીઓએ ભારતમાં આ રીતે તેમના ઉત્પાદનો વેચવાનું ચાલુ રાખ્યું છે.
ભારતમાં ફેન્ટાનું ઉત્પાદન કરતી કોકા-કોલા જેવી મુખ્ય ગ્રાહક કંપનીઓ આ પરિસ્થિતિનો લાભ મેળવી રહી હોય તેવું લાગે છે. ઓગસ્ટમાં ભારતના ખાદ્ય સુરક્ષા નિયમનકાર, FSSAI એ જણાવ્યું હતું કે તેણે ખાદ્ય પેકેજોના આગળના ભાગમાં મુખ્ય, રંગ-કોડેડ ચેતવણી લેબલ્સ પ્રદર્શિત કરવાની યોજના છોડી દીધી છે. મળતી માહિતી અનુસાર, નિયમનકારે નોંધ્યું હતું કે આવા ચેતવણી લેબલ્સ એ હકીકતને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ ગયા છે કે ભારતીય ભોજનમાં પશ્ચિમી ખોરાક કરતાં વધુ મજબૂત સ્વાદ હોય છે. તેના બદલે તેણે સૂચવ્યું કે કંપનીઓ ખાંડ, ચરબી અને મીઠાના સ્તરને દર્શાવતું બ્લેક એન્ડ વ્હાઈટ ટેબલ પ્રદર્શિત કરે. એક જાહેર આરોગ્ય કાર્યકર્તાએ હવે આ બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, અને આ મુદ્દો હાલમાં વિચારણા હેઠળ છે.
અરજી મુજબ, આવા ઉત્પાદનોને કારણે 45 કરોડ ભારતીયોનું સ્વાસ્થ્ય જોખમમાં છે. જ્યારે અન્ય એક અભ્યાસ સૂચવે છે કે 2050 સુધીમાં આ વ્યક્તિઓ સ્થૂળતા અથવા વધુ વજનની સમસ્યાઓનો સામનો કરી શકે છે. નિષ્ણાતો સૂચવે છે કે લેબલિંગમાં વધુ પારદર્શિતાથી સારી આહારની આદતો તરફ દોરી શકે છે; આ સલાહ પર કાર્ય કરીને લગભગ 20 દેશોએ પેકેજ્ડ ખોરાક પર 'અર્થઘટનાત્મક લેબલ્સ' (ઇન્ટરપ્રિટેટિવ) લગાવ્યા છે. આમાં વધારે ખાંડની માત્રામાં લાલ અને ઓછા ફેટનું પ્રમાણ દર્શાવવા માટે લીલો રંગનો ઉપયોગ સામેલ છે. માર્ચમાં, FSSAI એ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે હાલમાં ઉપયોગમાં લેવાતા લેબલ્સ ગેરમાર્ગે દોરનારા અને બિનઅસરકારક છે. જવાબમાં, કંપનીઓએ કહ્યું કે તેમનું ધ્યાન ઘટકોના પ્રમાણને જાહેર કરવા પર છે.
જોકે, આ મામલે કોકા કોલા ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ મિલી ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે તે ખૂબ જ સરળ છે કે જે ઉપભોક્તા ઉત્પાદનમાં કયા ઘટકો છે તે વાંચી શકતા નથી, તે આઈકન પરથી સમજી શકશે કે તેનો આહાર કેટલો આરોગ્યપ્રદ છે. મિલી ભટ્ટાચાર્ય કહે છે કે ચેતવણીના લેબલની જરૂર નથી કારણ કે ભારતમાં ડૉક્ટરો સારું કામ કરી રહ્યા છે. તે લોકોને કહી રહ્યા છે કે તેઓએ કયું ફૂડ ટાળવું જોઈએ. જોકે, કોકા કોલા જેવી કંપનીઓએ લગભગ બે ડઝન યુરોપિયન દેશોમાં ટ્રાફિક લાઇટની શૈલીમાં લેબલ લગાવ્યા છે. આમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે સંબંધિત પ્રોડક્ટ કેવી છે. આ સમગ્ર કવાયતનો વિરોધ કરતી કંપનીઓના નેતા નેસ્લેએ બ્રિટનમાં વિશ્લેષણાત્મક લેબલનો ઉપયોગ કર્યો છે. પરંતુ ભારતમાં એવું નથી. ઘણી ફૂડ કંપનીઓએ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર સામે કાયદાકીય ફરિયાદો પણ નોંધાવી છે જેમણે તેમના માર્કેટિંગ પર પ્રશ્નો ઉભા કર્યા છે. હાલમાં FSSAIએ આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.
ભારતમાં પેકેજ્ડ ખોરાક અને પીણાંનું બજાર આશરે $100 બિલિયનનું છે, જેમાં ઉત્પાદનોમાં ઘણીવાર ચરબી, ખાંડ અને મીઠું વધારે પ્રમાણમાં હોય છે. આનાથી પ્રશ્ન ઉભો થયો છે કે ઉત્પાદન પેકેજિંગમાં ચરબી અને ખાંડનું પ્રમાણ ક્યારે વધારે છે તે સ્પષ્ટ રીતે કેમ જણાવવામાં આવતું નથી. 2017 થી ભારતીય નિયમનકારોએ ઉત્પાદનના પોષણ મૂલ્ય તેમજ ઘટકો અને તેમની ચોક્કસ પોષક સામગ્રી અંગે વિગતવાર માહિતી દર્શાવવા માટે રંગ-કોડેડ ચેતવણીઓ અને સ્ટાર રેટિંગ્સ જેવા પગલાં વારંવાર પ્રસ્તાવિત કર્યા છે.
આ પણ વાંચો: Amit shah: 'ભારત કોઇ ધર્મશાળા નથી... કે કોઈપણ આવી જાય'