દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં ચાર માળની એક ઇમારતમાં ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે.પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આગ પહેલા સાંજે 6:15 વાગ્યે ગ્રાઉન્ડ ફ્લોર પરની એક જૂતાની દુકાનમાં લાગી હતી, પછી ઉપરના માળે ફેલાઈ ગઈ હતી અને ઝડપથી આખા ઘરને લપેટમાં લઈ ગઈ હતી. દિલ્હી ફાયર બ્રિગેડની ચાર ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી
આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક ફૂટવેરની દુકાનમાં લાગી હોવાનું કહેવાય છે. તે ઝડપથી ઉપરના માળે ફેલાઈ ગઈ. માહિતી મળતાં જ, ફાયર અને પોલીસની બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો. બચાવકર્તાઓને બિલ્ડિંગની અંદર ત્રણ લોકો મૃત હાલતમાં મળી આવ્યા. આ ઘટનામાં બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી.
